Ayu Benefit
  • Home
  • Business
    • Internet
    • Market
    • Stock
  • Parent Category
    • Child Category 1
      • Sub Child Category 1
      • Sub Child Category 2
      • Sub Child Category 3
    • Child Category 2
    • Child Category 3
    • Child Category 4
  • Featured
  • Health
    • Childcare
    • Doctors
  • Home
  • Business
    • Internet
    • Market
    • Stock
  • Downloads
    • Dvd
    • Games
    • Software
      • Office
  • Parent Category
    • Child Category 1
      • Sub Child Category 1
      • Sub Child Category 2
      • Sub Child Category 3
    • Child Category 2
    • Child Category 3
    • Child Category 4
  • Featured
  • Health
    • Childcare
    • Doctors
  • Uncategorized
Showing posts with label તુલસીનાં ફાયદા. Show all posts
Showing posts with label તુલસીનાં ફાયદા. Show all posts

Thursday, January 7, 2016

તુલસીનાં પાંદડાંના વિવિધ ફાયદા | Benefit of Indian Tulsi Plant in Gujarati

 Priti     January 07, 2016     Best Tulsi Plant, Tulsi Ayurveda, તુલસી, તુલસીનાં ફાયદા, તુલસીનો ઉપયોગ   

  
તુલસી :
તુલસીને વિષ્ણુપ્રિયા કહેવામાં આવે છે. હિન્દુઓના દરેક શુભ કાર્યમાં, ભગવાનના પ્રસાદમાં તુલસીનો ઉપયોગ થાય છે. તુલસીનાં ફાયદા અનેક છે. 

        જ્યાં તુલસીનાં છોડ વધારે પ્રમાણમાં હોય છે ત્યાંની હવા શુદ્ધ અને પવિત્ર રહે છે. તુલસીનાં પાનમાં એક વિશિષ્ટ તેલ હોય છે કે જે જંતુયુક્ત હવાને શુદ્ધ કરે છે. મેલેરિયાનાં જંતુઓનો નાશ થાય છે. તુલસીની પાસે બેસી પ્રાણાયામ કરવાથી કીટાણુઓનો નાશ થાય તથા શરીરમાં બળ, બુદ્ધિ અને ઓજની વૃદ્ધિ થાય છે. સવારે નરણે કોઠે તુલસીનો રસ અને પાણી લેવામાં આવે તો બળ, તેજ અને સ્મરણશક્તિની વૃદ્ધિ થાય છે.

        તુલસીમાં એક વિશેષ એસિડ હોય છેં જેના મોંમાંથી દૂર્ગધ આવતી હોય તે વ્યક્તિ જો તુલસીનાં થોડાં પાન દરરોજ ચાવે તો તેની દૂર્ગધ દૂર થાય છે.ભોજન પછી થોડાં પાન ચાવી લેવાથી સ્વાસ્થયની વૃદ્ધિ થાય છે, મળની નિવૃત્તિ થાય છે, કીટાણુઓનો નાશ થાય છે, અંગની શક્તિ વધે છે, મનવાણી વશમાં રહે છે. તુલસીનું દર્શન અને સ્પર્શ પણ લાભદાયી છે. ભગવાન વિષ્ણુને ત્રણ ચીજો અતિ પ્રિય છે : ભગવાન શંકર, તુલસી, અને આમળાં. આપણા દેશમાં તુલસીની પૂજા થાય છે, તેનું કારણ તેની સર્વાંધિક ગુણવતા છે.


તુલસીનાં ફાયદા વિવિધ રોંગોમાં :

આંખ, નાક અને કાનના રોગમાં 

  1. તુલસીનો રસ કાઢી આંખોમાં આંજ્વાથી આંખોની પીડા અને અન્ય રોગ દૂર થાય છે. જો તુલસીના રસમાં થોડુંક અસલી મધ મેળવી, ગાળીને શીશીમાં રાખી લેવામાં આવે તો તે આંખોમાં નાખવા માટે ઉતમ "આઇડ્રોપ્સ" ઔષધિ નું કામ આપી શકે છે.
  2. આંખો સૂઝી જાય કે તેમાં ચળ આવતી હોય તો તુલસીના પાનનો ઉકાળો બનાવી તેમાં થોડીક ફટકડી વાટીને નાંખી દો. જ્યારે આ ઉકાળો ઠંડો પડી નવશેકો રહે ત્યારે સ્વચ્છ રૂને તેમાં બોળી વારંવારં પાંપણોને શેકો . દરેક પાંચ મિનિટમાં બે વખત શેક્વાથી સોજો ઓછો થઈ આંખો ખૂલી જાય છે.
  3. જો કાનમાં દુખતુ હોય કે શ્રવણ શક્તિમાં કંઈક ગરબડ જણાય  તો તુલસીનો રસ નવશેકો કરી કાનમાં બે -ચાર ટીપા કાનમાં નાખવાથી આરામ થાય છે. કાન વહેતો હોય તો કાનમાં પરુ થયુ હોય અને દુર્ગંધ મારતી હોઈ પણ દરરોજ આવા રસના ટીપા નાખવાથી ફાયદો થાય છે.
  4. તુલસીના પાન અને સરસવનું તેલ લઈ ઓછો તાપે આગ પર શેકો. પાન બળી જાય ત્યારે તેલને ઉતારી લો અને ગાળી નાખીને બે-ચાર ટીપા કાનમાં નાખતા રહેવાથી બધી જાતના કાનના દર્દો મટે છે.
  5. જો નાકમાં દરદ થતું હોય તો , એમાં કોઈ જાતનો જખમ અથવા ફોલ્લીઓ થઈ ગઈ હોય તો તુલસીના સૂકા પાનનો ખૂબ બારીક રીતે વાટીને છીકણીની જેમ સૂંઘવાથી આરામ થાઈ છે.
  6. નાકમાં પીનસ રોગ થઈ કીડા પડી ગયા હોય અને દુર્ગંધ આવતી હોય તો વન તુલસીના પાનનો રસ અને કપૂર મેળીવીને નાસ લેવો જોઇએ.
ખાંસીમાં થતા તુલસીનાં ફાયદા
  1.  સાધારણ ખાંસીમાં તુલસી  અને અરડૂસીનાં પાનનો રસ સરખે સરખી માત્રમાં લઈ મિશ્રણ કરી સેવન કરવાથી  જલ્દીથી ફાયદો થાય છે
  2. તુલસીના બીજ, લીમડાની ગળો ,સૂંઢ અને ભોંય ભોંગડીની  જડૉ સરખા વજનમાં લઈ વાટી ઘુંટી ચાળી ચૂર્ણ બનાવી તેમાંથી અડધો માંશો ચૂર્ણ મધ સાથે લેવાથી ખાંસીમાં ફાયદો કરે છે.
  3. સૂકી ઉધરસમાં તુલસીની માંજર અને આદુને  સરખા ભાગે લઈ વાટીને મધ સાથે ચાટવામાં આવે.
  4. તુલસીની માંજરી , વજ્પીપર દરેક અડધો તોલો અને સાકર બે તોલો લઈ  અેક શેર પાણીમાં ઉકાળો અને જ્યારે બળતા  બળતા અડધુ પાણી રહે ત્યારે ગાળી નાખો. પછી દિવસમાં એક  એક અધોળ લેવાથી સૂકી ઉધરસમાં ફાયદો થાય છે.
  5. તુલસીનો રસ અને જેઠી મધનો રસ ભેગો કરી ચાટવાથી  ખાંસી મટે છે.
  6. તુલસી અને કસોઁદરાના પાનનો રસ ભેગો કરી પીવાથી ખાંસીમાં ફાયદો કરે છે.
  7. ચાર - પાંચ લવીંગ શેકીને તુલસીપત્રની સાથે લેવાથી બધી જ જાતની ઉધરસમાં ફાયદો કરે છે.
  8. સુકી ખાંસીમાં જો ગળુ બેસી ગયુ હોય તો તુલસીપત્ર, ખસખસ અને જેઠીમધને  વાટીને સરખા ભાગે લાલ બુરા કે ખાંડ સાથે મેળવી હુંફાળા પાણી સાથે સેવન કરો.
  9. તુલસીના પાન અડધો તોલો, ઘંઉના લોટનુ ચળામણ એક તોલો  અને જેઠી મધ અડધો તોલો  લઈ પાશેર પાણીમાં ઉકાળો. બળતા અડધુ રહે ત્યારે ગાળીને થોડાક દેશી બૂરા કે ખાંડ સાથે લેવાથી ઉધરસ એકદમ મટે છે.
  10. તુલસીપત્ર, હળદર અને કાળી મરીને ઉપરોકત રીતે ઉકાળો બનાવી સળેખમ અને જીણા તાવમાં લેવાથી ફાયદો થાય છે.
બાળકોના રોગ 
  1. બાળકોને શીતળા નીકળ્યા હોય ત્યારે તુલસીની માંજરો, અજમો અને આદુ સરખા ભાગે લઈ દિવસમાં કેટલીય  વાર સેવન કરવાથી લાભ થાય છે.
  2. 1 તોલો તુલસીપત્ર, 1 તોલો મેથી અને 6 માશા કડુને અર્ધ પાશેર પાણીમાં ઉકાળો. જ્યારે ચોથો ભાગ રહે ત્યારે ગાળી નાખી ઠંડુ કરીને પીવડાવવાથી શીતળાથી આવતા તાવમાં ફાયદો કરે છે.
  3. બાળકને શરદી કે ખાંસી થઈ જાય ત્યારે તુલસી પત્રનો રસ, અજમો અને  આદુનો રસ ત્રણે પોણો 1 તોલો લઈ ખરલ પર ખૂબ લસોટી અને અઢી તોલો મધ મેળવી શીશીમાં ભરી લો અને  આમાંથી 30 થી 60 ટીપાં સુધી દિવસમાં ત્રણ વખત આપવાથી લાભ થાય છે.
  4. તુલસીપત્ર, બાવળની કૂંપળો અને અજમો દરેક અેક અેક તોલો લો અને તેમાંથી 6 માશા કે નવટાંક પાણીમાં ઉકાળો, જ્યારે ચોથા ભાગનું રહે ત્યારે ગાળીને  બાળકોને પીવડાવો. આથી બધી જાતના તાવમાં ફાયદો થાય છે.
  5. નાના બાળકોના પેટ ફુલવાં પર તુલસીનો સ્વરસ ઉંમર પ્રમાણે 2 થી 6 માશા પીવડાવવાથી આરામ થાય  છે.
  6. દાંત આવતી વખતે બાળકોને જે ખૂબ ઝાળા થઈ જાય છે તેમાં તુલસીના પાનનું ચૂર્ણ દાડમના શરબત સાથે આપવાથી ફાયદો કરે છે.
પેટના રોગો પર 
  1. તુલસીના તાજા પાનનો રસ એક તોલો દરરોજ સવારે પીવાથી અજીર્ણ મટે છે .
  2. તુલસીના પંચાંગનો  ઉકાળો બનાવીને પીવાથી દસ્તની તકલીફ દૂર થાય છે અને પાચન શક્તિ વધે છે.
  3. ઉપરોક્ત ઉકાળોમાં એક કે બે  રતી જાયફળનું ચૂર્ણ મેળવીને પીવાથી દસ્તની મુશ્કેલ બીમારીમાં પણ જલ્દી  ફાયદો થવા માંડે છે.
  4. તુલસી અને આદુનો રસ એક એક ચમચો મેળવીને દિવસમાં ત્રણ વખત પીવાથી પેટના દર્દમાં તરત જ ફાયદો થાય છે.
  5. તુલસીના અગિયાર પાન લઈ એક માશો વાવડીંગની સાથે વાટી નાખો અને પછી તેને સવાર-સાંજ તાજા પાણી સાથે લેવાથી પેટનાં કૃમિ મરી જાય છે.
  6. તુલસીના પાન અને સરગવાના પાનના નવટાંક રસમાં સિંઘવ મીઠું નાખી સેવન કરવાથી મંદાગ્નિની તકલીફ દૂર થઈ સાફ દસ્ત આવે છે 
  7. તુલસીના સુકા પાન,સૂંઠ અને ગોળને ભેગા કરી મોટી ગોળીઓ બનાવી રાખી તેને દરરોજ લેવાથી દસ્તાના ફાયદો થાય છે.
  8. તુલસીના સૂકા પાનનું એક માશો ચૂર્ણ અને ત્રણ માશા ઇસબગુલ ભેગાં કરી દહીં સાથે દરરોજ સેવન કરવાથી પાતળા ઝાડા થઈ ગયા હોય તો ફાયદો થાય છે.
ફોલ્લા , ઘા અને ચામડીના રોગો પર 
  1. તુલસીના પાનને લીંબુના રસમાં વાટીને દાદર પર લગાવવાથી આરામ થાય છે.
  2. તુલસીપત્રનો રસ બે ભાગ અને તલનુ તેલ એક ભાગ ભેગુ કરી ઓછો તાપે ગરમ થઈ ગયા પછી ગાળી નાખી અને પછી તેનો ઉપયોગ ચામડીના રોગો અને ખુજલી પર કરવાથી લાભ થાય છે.
  3. અગ્નિથી દાઝિ જતાં તુલસીનો રસ અને નાળીયેરનું તેલ બરાબર હલાવીને લાગવાથી બળતરા મટે છે. ફોલ્લા પડી ગયા હોય કે ઘા પડી ગયા હોય તો તે પણ જલ્દીથી સારા થઈ જાય છે.
  4. તુલસીનાં પાનને ગંગાજળમાં વાટીને નિરંતર લગાવતા રહેવાથી સફેદ ચાડાં અને કોઢ થોડા વખતમાં ઠીક થઈ જાય છે.
  5. બાલ તોડ વાળના તૂટી જવાથી થાય છે, તેના પર તુલસીપત્ર અને બોરને વાટીને લગાવવાથી આરામ થાય છે.
  6. નાકની અંદર ફોલ્લીઓ થઈ હોય તો તુલસીપત્ર અને બોરને વાટીને સૂંઘવાથી અને લગાવવાથી લાભ થાય છે.
  7. પેટમાં અંદર ફોલ્લા થયા હોય કે ગોળો ચડતો હોય તો તુલસીપત્ર અને સૂવાની ભાજીનો ઉકાળો બનાવી તેમાં થોડુંક સિંધવ મીઠું નાખીને પીવુ જોઇએ.
  8. તુલસીપત્ર અને ફટકડીને ખૂબ જ બારીક વાટીને ઘા પર ભભરાવવાથી તે જલ્દી સારો થઈ જાય છે.
  9. વાળ ખરવા કે અકાળે સફેદ થઈ જવા તે પણ એક ચર્મવિકાર જ છે. તેના માટે તુલસીપત્ર અને સૂકા આંબળાનું ચૂર્ણ માથામાં સારીરીતે ઘસીને સાધારણ ગરમ પાણીથી ધોવું જોઇએ.
  10. બંગલામાં થતા ફોલ્લા પર તુલસીપત્ર, રાઇ, ગોળ અને ગુગળ સરખા ભાગે લઈ પાણીમાં વાટી ગરમ કરી બાંધવાથી તે ફૂટીને મટી જાય છે.
  11. તુલસીના પાનને લીંબુના રસમાં વાટીને લગાડવાથી દાદર પણ મટી જાય છે.
  12. તુલસી અને લીમડાના પાનને દહીમાં વાટીને લગાડવાથી પણ દાદર મટી જાય છે.
મગજ અને સ્નાયુને લગતા રોગો
  1. તંદુરસ્ત અવસ્થામાં પણ તુલસીનાં આઠ-દસ પાન અને ચાર-પાંચ કાળા મરી બારીક રીતે લસોટી, ગાળીને દરરોજ સવારે લેવામાં આવે તો મગજની શક્તિ વધે છે. જો ઠીક લાગે તો તેમાં બે-ચાર બદામ અને થોડુંક મધ મેળવીને ભાંગની જેમ બનાવી શકાય.
  2. પ્રાંતઃકાળે સ્નાન કર્યા બાદ તુલસીના પાંચ પાન પાણીની સાથે લેવાથી મગજની નીર્બળતા દૂર થઈ યાદ શક્તિ તેમજ મેઘાશક્તિ વધે છે.
  3. મૃગી વાઇ ફીટના રોગમાં તુલસીના તાજા પાન લીમડાના પાન સાથે વાટીને માલિશ કરવાથી બહુ જ લાભ થાય છે. આ પ્રયોગ નિયમિત રીતે ઘણા દિવસ સુધી કરવો જોઇએ.
  4. તુલસીના પાન અને બ્રાહ્મીને વાટીને ગાળીને એક ગ્લાસનું દરરોજ સેવન કરવાથી મગજની નિર્બળતાથી થતુ ઉન્માદ - ગાંડપણ મટે છે.
  5. તુલસીના રસમાં થોડું મીઠું મેળવી નાકમાં બે ચાર ટીપાં નાખવાથી મૂર્છા અને બેહોશીમાં લાભ થાય છે.
  6. તુલસીનો શ્રદ્ધાપૂર્વક નિયમિત ઉપયોગ દરેક જ્ઞાનેનિ્દ્રયોની ક્રિયાને શુધ્ધ કરીને તેમની શક્તિ વધારે છે.
દાંતોની પીડા
  1. દાંતમાં દર્દ થતુ હોય તો તુલસીના પાન અને કાળાં મરી વાટીને ગોળી બનાવી , જયાં દુઃખતું હોય ત્યાં રાખવાથી આરામ થાય છે.
  2. તુલસીના પંચાગ ( પાન, માંજર, બીજ, થડ દાળી, મુળીયા) ને વાટીને બનાવેલ એક તોલો ચૂર્ણને અડધો શેર પાણીમાં ઉકાળો. અડધું પાણી બળી જાય ઍટલે ઉતારી લઈ કોગળા કરવાથી દાંતનો દુઃખાવો મટે છે.
માથાનું દર્દ
  1. માથાંના દર્દમાં તુલસીનાં સૂકા પાનનું ચૂર્ણ અથવા તુલસીના બીજનું ચૂર્ણ કપડાથી ગાળી નાખીને છીંકણીની  જેમ સૂંઘવાથી આરામ થાય છે.
  2. 35 તુલસીપત્ર, 1 સફેદ મરચુ અને 10 નંગ તુરિયા, આ  બધાને પાણીમાં વાટીને રસ કાઢી નાસ લેવાથી માથાનો જૂનો દુઃખાવો પણ મટે છે.
  3. તુલસીપત્ર અને બે ત્રણ કાળાં મરી વાટીને રસ કાઢી નાસ લેવાથી આધાસીસીનું દર્દ મટે છે.
  4. વનતુલસીનાં ફૂલ અને કાળાં મરીને સળગતા અંગારા પર નાખી તેનો ધૂમાડો સૂંઘવાથી નાસ લેવાથી માથાનું કઠણ દર્દ મટે છે.
  5. શ્યામતુલસીના મૂળિયાને ચંદનની જેમ ઘસીને લેપ કરવાથી માથાનું દર્દ મટે છે
સાંધિયા અને સાંધાઓનું દર્દ
  1. તુલસીમાં વાત વિકારને મટાડવાનો ગુણ  છે. તેથી જો વાત ના જોરથી નાડીઓમાં દુઃખાવો થતો હોય તો તેમાં તુલસીના ઉકાળાનો  પ્રયોગ લાભકારક થાય છે. જો સાંધાઓમાં પીડા થતા હોય તો તુલસીપત્રનો રસ પીતા રહેવાથી લાભ થાય છે. મચકોડ આવી હોય કે ચોટ લાગી હોય તો તુલસીના સ્વરસથી માલિશ કરવાથી આરામ થાય છે.
  2. તુલસીના મુળિયા પાન, માંજરો, દાળિયો અને બીજ, આ પાંચેયને સરખા ભાગે લઈ, વાટી, ગાળિને 6 માશા જેટલું લઈ તેટલો જ જૂનો ગોળ લઈ ભેળવી દો આને સવારે સાંજે બંને વખત બકરીના દૂધની સાથે લેવાથી સંધિવા મટી જાય છે.
સ્ત્રીઓના ખાસ રોગ
  1.  સ્ત્રીઓનો માસિક ધર્મ અટકી જાય તો તુલસીના બીજનો ઉપયોગ લાભકારક બને છે. તુલસીનાં પંચાગ (પાન, માંજરો, બીજ, લાકડા અને મુળિયા, સૂંઠ, લીમડાની છાલનો ગુંદર, અજમો અને તમાલપત્ર આ બધાને જવ જેટલા વાટી દો. તેમાથી એક તોલો લઈ પાશેર પાણીમાં ઉકાળી જ્યારે ચોથા ભાગનું પાણી રહે ત્યારે ગાળીને પી જાવ કેટલાક વખત આવો પ્રયોગ કરતા રહેવાથી અટકી ગયેલું માસિક શરુ થઈ જાય છે.
  2. જો રજોદર્શન (માસિક ધર્મ) થાય ત્યારે તુલસીના પાનનો ઉકાળો બનાવી, ત્રણ દિવસ સુધી અડધો ગ્લાસ પી લેવામાં આવે તો ગર્ભ રહેવાની શક્યતા ઘટી જાય છે. આ પ્રયોગ ગર્ભ નિરોધની દ્રષ્ટિથી ખાસ ઉપયોગી છે કારણ કે તેથી પ્રજનન અંગોને નુક્શાન થતુ નથી. આ તેમને શુધ્ધ અને દોષરહિત કરીને શક્તિશાળી બનાવી દે છે . માટે જેવી રીતે આ ગર્ભ નિરોધનું કામ કરે છે તેવી જ રીતે વંધ્યા સ્ત્રીઓ સંતાન પ્રાપ્તિ માટે પણ પ્રયોગ કરી શકે છે.
  3. ગર્ભાવસ્થાવાળી સ્ત્રીને છાતી અને પેટ પર ખૂજલી આવતી હોય તો વનતુલસીના બીજનો લેપ કરવાથી આરામ થાય છે.
  4. તુલસીના બીજ અને આંબા હળદર સરખા ભાગે લઈ બારીક ભૂકો કરી લઈ જનનેન્દ્રિય પર છાંટવાથી યોનીભ્રંશ - જનનેન્દ્રિય ખસી ગઈ હોય તો લાભ થાય છે. ગર્ભાવસ્થામાં પેટ વધુ પડતું વધી જાય તો પેઢા પર જે ચીરા જેવા કાપા પડે છે અને જેમાં કદી કદી ચળ આવે છે, તેમાં તુલસીનાં પાન પીસીને બનાવેલી પોટીશ ઘસવાથી સારુ થઈ જાય છે.
  5. તુલસીના રસમાં જીરુ વાટીને ગાયના  તાજા દોહેલા ઉષ્ણ દૂધની સાથે સેવન કરવાથી પ્રદર રોગમાં સુધારો થઈ સ્ત્રીનું સ્વાસ્થ્ય સારુ થઈ જાય છે.
  6. પ્રસુતિ વખતે વેદના થતી હોય તો તુલસીનો રસ એક તોલો પીવડાવવાથી લાભ થાય છે અને સુવાવડ સરડતાથી થાય છે. તુલસીના મૂળિયા સ્ત્રીની કેડે બાંધવાથી પણ પ્રસવની વેદના ઓછી થઇને સૂખ પૂર્વક પ્રસવ થાય છે.


                   ઘણા રોગોથી મુક્તિ મળે છે. તુલસીદલ એક ઉત્કૃષ્ટ રસાયણ છે. તે ગતુલસી શરીરની વિધુતને જાળવી રાખે છે. તુલસીની માળા ધારણ કરનારનેરમ, ત્રિદોષ નાશક, રક્તવિકાર, તાવ, વાયુ, ખાંસી, કૃમિ વગેરેની નિવારક તથા હૃદયને હિતકારી છે. 

         તુલસી સૌંદર્યવર્ધક છે.  રક્તશોષક છે.  તુલસી રોગોને તો દૂર કરે જ છે,  તે ઉપરાંત બ્રહ્મચર્યના રક્ષણમાં અને યાદશક્તિ વધારવામાં અનુપમ સહાય કરે છે. 


તંદુરસ્તી માટે તુલસી અત્યંત લાભદાયક 




Read More
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg
Home

Popular Posts

  • તુલસીનાં પાંદડાંના વિવિધ ફાયદા | Benefit of Indian Tulsi Plant in Gujarati
  • આમળાંનાં વિવિધ ફાયદા | Benefit of Amla in Gujarati
  • અડૂસીના ગુણ અને ફાયદા
  • લસણનાં ગુણ, ફાયદા, અને ઉપયોગ
  • ઘઉંના જવારાના ફાયદા
  • મધના વિવિધ ફાયદા
  • મીઠા લીમડાનાં ગુણ અને ફાયદા | Health Benefit of Curry Patta Plant in Gujarati
  • મેથીના વિવિધ ફાયદા
  • એલોવિરા જેલના ગુણ અને ફાયદા | Benefit of Aloe vera Gel in Gujarati
  • અપચો અને તેનો ઈલાજ

Recent Posts

મીઠા લીમડાનાં ગુણ અને ફાયદા
એલોવિરાના ગુણ અને ફાયદા
અડૂસીના ગુણ અને ફાયદા
મેથીના વિવિધ ફાયદા
ઘઉંના જવારાના ફાયદા
મેથીના વિવિધ ફાયદા
ડુંગળીનાં ગુણ, ફાયદા અને ઉપયોગ
રોગના પ્રાથમિક ઉપચાર

Categories

  • આમળાના ફાયદા
  • કેળાના ફાયદા
  • ઘઉંના જવારાના ફાયદા
  • તુલસીનાં ફાયદા
  • લસણનાં ફાયદા
  • લીંબુનો રસ

Blog Archive

  • August (1)
  • September (1)
  • August (7)
  • July (7)
  • January (1)
  • January (2)

Translate

About Me

My photo
Priti
View my complete profile

Subscribe To

Posts
Atom
Posts
All Comments
Atom
All Comments

Copyright © Ayu Benefit | Powered by Blogger