મધના ફાયદા :
મધ એ મનુષ્યને કુદરતની ઉત્તમ ભેટ છે. એ પંચામૃતમાંનું એક અમૃત છે. મધ આયુર્વેદની મોટા ભાગની દવાઓ માટે શ્રેષ્ટ અનુપાન છે.
મધમાં કુદરતી રીતે જ શર્કરા વિપુલ પ્રમાણમાં હોય છે. તે તરત જ શક્તિ અને ગરમી આપીને માંસપેશીઓને બળ પૂરુ પાડે છે. રાત્રે એક ચમચી મધ પાણી સાથે લેવાથી ઉંઘ બરાબર આવી જાય છે. પેટ સાફ આવે છે. નરણે કોઠે મધ-લીંબુનું શરબત ભૂખ લગાડે છે.
મધમાં કુદરતી રીતે જ શર્કરા વિપુલ પ્રમાણમાં હોય છે. તે તરત જ શક્તિ અને ગરમી આપીને માંસપેશીઓને બળ પૂરુ પાડે છે. રાત્રે એક ચમચી મધ પાણી સાથે લેવાથી ઉંઘ બરાબર આવી જાય છે. પેટ સાફ આવે છે. નરણે કોઠે મધ-લીંબુનું શરબત ભૂખ લગાડે છે.
મધ જીવાણુઓનો નાશ કરે છે. ટાઈફોઈડ અને ક્ષયના દર્દીઓ માટે ઉત્તમ છે. હજારો વર્ષો સુધી મધ બગડતું નથી. મધ બાળકોના વિકાસમાં ઘણું ઉપયોગી છે. જે બાળકને શરૂઆતના નવ માસ મધ આપવામાં આવે તેને છાતીના રોગ ક્યારે પણ થશે નહિ. મધથી આંતરડાને ઉપયોગી એવાં એસીકોકલિસ જીવાણુઓની વૃદ્ધિ થાય છે. મધ દુર્બળ અને સગર્ભા સ્ત્રીઓ માટે શ્રેષ્ઠ પોષક આહાર છે. મધ દીર્ધાયુ બક્ષે છે.
દુર્બળતા દૂર કરીને શક્તિ વધારવા માટે મધ જેવી ગુણકારી વસ્તુ વિશ્વમાં બીજી કોઈ નથી. શરીરની માંસપેશીઓને શક્તિ આપે છે.મધ શ્રેષ્ઠ અનુપાન છે.મધથી મંદાગ્નિ મટીને ભૂખ લાગે છે. વીર્યની વૃદ્ધિ કરે છે. આબાલવૃદ્ધ બધાંને માટે મધ ગુણકારી છે. બાળકને જન્મ સાથે જ આપી શકાય તેવું એક માત્ર ભોજન મધ છે.
મધમાંના ખનીજ તત્વો રક્તના લાલ કણોની વૃદ્ધિમાં સહાયક બને છે. ગર્ભવતી અને પ્રસૂતા માતાએ પણ બાળકના હિતાર્થે મધનું સેવન કરવું જોઈએ. રોગી અને કમજોરને મધ શક્તિ આપે છે, શારીરિક પરિશ્રમ કરનારાઓને તે શક્તિ આપે છે, શારીરિક પરિશ્રમ કરનારાઓને તે શક્તિ આપે છે, કારણ કે તેને પચાવવામાં શક્તિ વાપરવી પડતી નથી અને શક્તિનો ભંડાર મળે છે. મધના આ ગુણોનું કારણ તે પાંચમહાભૂતોનો સાર છે, અંતિમ રસ છે. મધ ઉત્તમ સ્વાસ્થ્યવર્ધક છે અને સાથે સાથે શરીરના રંગને નીખારવાનું, ચામડીને કોમળ બનાવવાનું અને સૌંદર્ય વધારવાનું કાર્ય પણ કરે છે. ચહેરા અને શરીર પર જો મધ ઘસવામાં આવે તો સૌંદર્ય અક્ષય બને છે. સારા સાબુઓમાં મધનો ઉપયોગ થાય છે.
મધ,લીંબુ,વેસન અને પાણીનું મિશ્રણ ચહેરા પર ઘસીને પછી સ્નાન કરવાથી ચહેરો આકર્ષક અને સુંદર બને છે. મધના સેવનથી કંઠ મધુર, સુરીલો અને વાણી મીઠી બને છે, દૈવી ગુણોની વૃદ્ધિ થાય છે. મનુષ્ય વિવેકપૂર્ણ અને ચારિત્ર્યવાન બને છે.
મધ શરીર-મન-હૃદયનું દૈર્બલ્ય, દમ, અપચો, કબજિયાત, કફ, ખાંસી, વીર્યદોષ, અનિદ્રા, થકાવટ, વાયુવિકાર તથા અન્ય અસંખ્ય રોગોમાં અચૂક દવા છે.
મધ દરેક ખાદ્ય પદાર્થ સાથે લઈ શકાય છે. ધારોષ્ણ દૂધ અને ફળોના રસમાં મધ લઈ શકાય છે. મધ ઠંડા પાણીમાં લેવું હંમેશા હિતાવહ છે. મધને ગરમ કરવું જોઈએ નહિ. માછલી, દૂધ, મધ સાથે ખાવાથી સફેદ કોઢ થાય છે. કમળબીજ, મૂળા, માંસ સાથે મધ લઈ શકાય નહિ. ઘી, તેલ જેવા ચરબીયુક્ત પદાર્થ સાથે મધ સમાન માત્રામાં લેવું વિષ સમાન છે.
દુકાનોમાં વેચાતું, લેબોરેટરીઓમાં પાસ કરાયેલું, બાટલામાં પેક કરેલું કૃતિમ મધ એટલો ફાયદો નથી કરતુ જેટલો ફાયદો અસલી મધથી થાય છે.
મધ શરીર-મન-હૃદયનું દૈર્બલ્ય, દમ, અપચો, કબજિયાત, કફ, ખાંસી, વીર્યદોષ, અનિદ્રા, થકાવટ, વાયુવિકાર તથા અન્ય અસંખ્ય રોગોમાં અચૂક દવા છે.
મધ દરેક ખાદ્ય પદાર્થ સાથે લઈ શકાય છે. ધારોષ્ણ દૂધ અને ફળોના રસમાં મધ લઈ શકાય છે. મધ ઠંડા પાણીમાં લેવું હંમેશા હિતાવહ છે. મધને ગરમ કરવું જોઈએ નહિ. માછલી, દૂધ, મધ સાથે ખાવાથી સફેદ કોઢ થાય છે. કમળબીજ, મૂળા, માંસ સાથે મધ લઈ શકાય નહિ. ઘી, તેલ જેવા ચરબીયુક્ત પદાર્થ સાથે મધ સમાન માત્રામાં લેવું વિષ સમાન છે.
દુકાનોમાં વેચાતું, લેબોરેટરીઓમાં પાસ કરાયેલું, બાટલામાં પેક કરેલું કૃતિમ મધ એટલો ફાયદો નથી કરતુ જેટલો ફાયદો અસલી મધથી થાય છે.



0 comments:
Post a Comment