લીંબુ પ્રતિઅમલક છે. બીજા ફળોની સરખાણીમાં ક્ષારિયતાનું પ્રમાણ વધારે છે. લીંબુનો રસ જંતુધ્ન છે. ખોટા આહાર-વિહારને કારણે શરીરમાં યુરિક એસિડ બને છે. તેનો નાશ કરવા માટે સવારે નરણે કોઠે ગરમ પાણીમાં લીંબુનો રસ લેવો જોઈએ. સાથે આદુનો રસ પણ લેવો ઉપયોગી છે. લીંબુ પેશાબ વાટે યુરિક એસિડનો નિકાલ કરે છે. સાથે સાથે કબજિયાત, પેશાબની બળતરા, લોહીનો બગાડ, મંદાગ્નિ, રક્તવિકાર અને ચામડીના રોગોમાં તે અકસીર છે. લીબુંના રસથી દાંત અને પેઠાની સારી સફાઈ થાય છે. પાયોરિયા અને મોઢાની દુર્ગધને તે દૂર કરે છે. યકૃતની શુદ્ધિ માટે લીંબુ અકસીર છે. લીંબુનું સાઈટ્રિક એસિડ પણ યુરિક એસિડનો નાશ કરે છે. અજીર્ણ, છાતીની બળતરા, સંગ્રહની, કોલેરા, કફ, શરદી, શ્વાશ વગેરેમાં ઔષધિનું કામ કરે છે. લીંબુના રસમાં ટાઇફોડનાં જંતુઓનો તરત નાશ થાય છે.
નરણે કોઠે લીંબુનો રસ કૃમિ કે જે બિનઉપયોગી ઝેરી એસિડ પેદા કરે છે તેનો નાશ કરે છે. લીંબુના સેવનથી પિત્ત શાંત થાય છે. મોંમાંથી લાડ પડતી બંધ થાય છે. લોહીની શુદ્ધિ થતાં શરીરમાં ખૂબ તાજગી દેખાય છે. લોહીમાંથી ઝેરી તત્વ નાશ પામતા શરીરમાં ખૂબ તાજગી દેખાય છે. લોહીમાંથી માંશપેશીઓને નવું બળ મળે છે. લીંબુ સમગ્ર શરીરની સફાઈ કરે છે. આંખોનું તેજ વધારે છે. જે કુટુંબમાં લોકો રોજ એક લીંબુનો ઉપયોગ કરે છે ત્યાં ત્યાં દરેક સ્વચ્છ, સુખી, અને પ્રશન્ન રહે છે.
કફ, ઉદરસ, દમ, શરીરના દુખાવાના કાયમી દર્દીઓને લીંબુ લેવું નહિ. લોહીનું નીચું દબાણ, માથું દુખવું, પગમાં કળતર, તાવ વગેરેમાં લીંબુ નુકસાનકારક છે.

0 comments:
Post a Comment