અપચો :
'અપચો' એટલે અજીર્ણ, આ ફરિયાદ લગભગ રોજની થઈ ગઈ છે. કારણ કે, આ યત્રવત જીવનમાં માનવીને ન તો ખાવાનો ટાઈમ છે કે, ન તો સુવાનો, પરિણામે 'અપચો' પણ રોજની ફરિયાદ થઈ ગયો છેં.
અપચો થવાના કારણો :
- અનિયમિત ભોજન, ભૂખ ન પણ હોય તો પણ વારંવાર ખાવાની આદત, રાત્રે ખૂબ મોડા જમવાની આદત અથવા જમીને તરત જ સુવાની આદત.
- દરેક વખતે પેટ ભરીને જમવાની આદત. ભોજન ઠાંસી ઠાંસીને ખાવું.
- અતિસ્વાદિષ્ટ, મસાલાવાળા, તીખા, ખારા, ખાટા, પદાર્થોનું સેવન.
- ચા-કોફી દારૂનું અધિક સેવન.
- મંદ પચન શક્તિ.
- ઉતાવળે જમવું, જમતી વખતે વાતો કરવાની આદત, બરાબર ચાવી ચાવીને ન જમવું.
- કબજિયાત માટે રેચક દવાઓ લાંબા સમય સુધી લેવી.
- સગર્ભાવસ્થા દરમિયાન આ તકલીફ સામાન્ય છે.
- વધુ પડતા ઉપવાસ કરવાની આદત.
- પેટમાંનાં ચાંદા
- અન્નનળી કે હોજરીનો સોજો
- હાયેટસ હર્નિયા, અતિશય નબળાઈ, પેટમાનાં કરમિયા
- અતિશય ચિંતાવાળો, ક્રોધી, સ્વભાવ
- મળ, મૂત્રના વેગને રોકવાની આદત
અપચોના લક્ષણો :
- ખોરાકનું પાચન બરાબર થતું નથી
- ખાધેલા ખોરાકના ઓડકાર આવે પેટ ભારે ભારે લાગે, મોંમાં કડવાશ લાગે.
- છાતીમાં બળતરા થાય. આળસ, બેચેની જણાય, પેટમા ગડગડાટ થયા કરે.
- માથામાં દુઃખાવો થાય, શરીર દુઃખયા કરે. ભૂખ ઓછી થઈ જાય.
- વારંવાર મોં, જીભ આવી જાય, મોંમાં ચાંદા પડે.
- મોળ ચડે, ઉબકા આવે, જીભ પર સફેદ છારી બાજી જાય.
અપચોનો ઘરગથ્થુ ઈલાજ :
- ૠતુ પ્રમાણેનો સુપાચ્ય ખોરાક લેવો.
- જમતી વખતે કદી પણ વાતો ન કરવી જેથી ચાવી ચાવીને જમાય.
- રાત્રે મોડા ન જમવું, જો મોડા જમવાની આદત હોય તો જમીને તરત સુઈ ન જવું. જમીને ચાલવાની આદત રાખવી.
- ખોરાકમાં કાચા સલાડ તેમજ પ્રવાહીનો વધુ ઉપયોગ કરવો.
