કેળા :
સામાન્ય રીતે લોકોમાં એવી માન્યતા છે કે કેળાં જલદી પચતાં નથી અને કબજિયાત કરે છે. પૂરા પાકેલાં ન હોય એવાં કેળાં નીચે પડી જાય, જેની છાલ પર કાળી ટપકી આવી જાય એવાં કેળાં બરાબર પાકેલાં કહેવાય. આવા કેળાં સુપાચ્ય છે.
ખાદ્ય ફળોમાં કેળાં શ્રેષ્ઠ છે. નિયમિત રીતે કેળાનો ઉપયોગ કરવાથી શરીરમાં માંસ અને લોહીની વૃદ્ધિ થાય છે. શરીર સશક્ત બને છે. એશિયામાં જિમ્નેસ્ટિકમાં વ્યક્તિગત સુવર્ણચંદ્રકના વિજેતા ચીની ખેલાડી લીનિંગનું કહેવું છે કે તેની સફળતાનું રહસ્ય કેળાં છે. વજન વધારવા માટે કેળાં વરદાનરૂપ છે.
રોગોમાં કેળાનો ઉપયોગ :
કેળામાં રહેલી સાકાર આંતરડામાં ઉત્પન્ન થતાં અનેક હાનિકારક જીવાણુઓની વૃદ્ધિને અટકાવે છે, આંતરડાના સડાને રોકે છે. આંતરડાંના રોગોમાં કેળાં ઉત્તમ પ્રાકૃતિક ઔષધી છે. અને અમ્લતા જન્ય રોગોને દૂર છે.
મધુપ્રમેહ-ડાયાબિટીસ :
કાચાં કેળાં તડકામાં સૂકવીને તેનો લોટ બનાવો. 10 ગ્રામ લોટ દૂધ સાથે લેવાથી લાભ થાય છે.
જે કેળાં પાકીને ગળી જવા માંડ્યા હોય, જેની છાલ કાળી પડવા લાગી હોય છોલીને તેના ગર્ભને હાથથી બરાબર મસળી નાખવો. પછી તેમાં તેનાથી અડધા પ્રમાણમાં ચોખાની ભૂસી મેળવીને 2-3 દિવસ ગરમ જગ્યામાં રાખી મૂકો. ચોથા દિવસે એક વાસણમાં એ બધું રાખીને વાસણને જરા વાંકુ કરીને મૂકો. થોડીવારમાં કેળાંનો રસ અલગ તરી આવશે. આ રસ 50-50 ગ્રામ સવાર સાંજ પીવાથી ડાયાબિટીસના રોગમાં લાભ થાય છે. નવ બિલીપત્ર ચાર કાળા મરી વાટીને એક ગ્લાસ પાણીમાં મેળવીને ગાળી લો. સવારે નરના કોઠે પીને થોડા હરો ફરો. અઠવાડિયામાં એક દિવસ રજા પાડો. આથી પણ ડાયાબિટીસમાં રાહત થાય છે.
બાળકો માટી ખાતાં હોય તો ખૂબ પાકેલાં કેળાં મધ સાથે ખવડાવવાથી બાળકોની માટી ખાવાની આદત છૂટી જાય છે.
સ્વપનદોષ :
બરાબર પાકેલાં બે કેળાં લઈને છોલીને બરાબર મસળી નાખવાં. તેમાં લીલાં આમળાંનો રસ 10 ગ્રામ અને શુદ્ધ મધ 10 ગ્રામ મેળવીને દરરોજ સવાર સાંજ ચાટી જવા. થોડાક જ દિવસના સેવનથી સ્વપ્નદોષથી છુટકારો થઈ જશે.
બાળકો માટી ખાતાં હોય તો ખૂબ પાકેલાં કેળાં મધ સાથે ખવડાવવાથી બાળકોની માટી ખાવાની આદત છૂટી જાય છે.
સ્વપનદોષ :
બરાબર પાકેલાં બે કેળાં લઈને છોલીને બરાબર મસળી નાખવાં. તેમાં લીલાં આમળાંનો રસ 10 ગ્રામ અને શુદ્ધ મધ 10 ગ્રામ મેળવીને દરરોજ સવાર સાંજ ચાટી જવા. થોડાક જ દિવસના સેવનથી સ્વપ્નદોષથી છુટકારો થઈ જશે.


