ડબ્બાપેક ફળોના રસની નુકસાનકારકતા
ડબ્બાપેક ફળોના રસ ક્યારે પણ વાપરવા નહિ. તેમાં બેન્જોઈક એસિડ હોય છે. આ એસિડ જો જરા પણ કુમળી ચામડીને સ્પર્શે તો ફોલ્લા થઈ જાય.
વળી તેમાં વપરાતું સોડિયમ બેન્ઝોઈક નામનું રસાયણ જો કૂતરું પણ બે ગ્રામ જેટલું ખાય તો તત્કાળ મરણ પામે. ફળોનો રસ, કન્ફેકસરી જામ, જેલી, અથાણાં વગેરેમાં ઉપરનાં રસાયણો વાપરવામાં આવે છે.
'ફ્રેશફ્રુટ' ના લેબલ નીચે મળતી કોઈ પણ બોટલ કે ડબ્બામાં તાજાં ફળો કે તેનો રસ ક્યારેય હોતાં નથી. બજારમાં 'ઓરેન્જ' નામે વેચાતો રસ કદાપિ સંતરાં-નારંગીનો રસ હોતો નથી. તેમાં ખાંડ, સેકરીન અને કૃત્રિમ રંગો જ વપરાય છે. જે દાંત અને આંતરડાને નુકસાન કરીને આખરે કેન્સરને જન્મ આપે છે.
સૌ પ્રથમ તો ફળને ફનફણતા ગરમ પાણીથી ધોવાય છે. પછી તેને રાંધવામાં આવે છે. ઉપરની છાલ કાઠી લેવાય છે. તેમાં ચાસણી નંખાય છે. અને રસ તાજો રહે તે માટે તેમાં વિવિધ રસાયણો નંખાય છે. તેમાં કેલ્શિયમ નાઇટ્રેટ, એલમ અને મેગ્નેશિયમ ક્લોરાઈડ ઉમેરાય છે. જેને કારણે આંતરડામાં ચાંદા પડે છે. કીડનીને હાનિ થાય છે. પેઢા સૂજી જાય છે. જે લોકો પુલાવ માટે બજારમાંથી વટાણા વાપરે છે. તેને લીલા અને તાજા રાખવા માટે તેમાં મેગ્નેશિયમ ક્લોરાઈડ નામનું ઝેરી રસાયણ વપરાય છે. એરીથ્રોસીન નામનું રસાયણ કોકટેલમાં વપરાય છે. ટામેટાના રસમાં નાઇટ્રેટસ ઉમેરાય છે. શાકભાજી કે ફળોને ડબ્બાપેક કરતી વખતે શાકભાજી કે ફળોમાં જે મીઠું વપરાય છે તે સાધારણ મીઠા કરતાં 45 ગણું નુકસાનકારક હોય છે.
આથી પોતાનાં તેમજ બાળકોનાં સ્વાસ્થ્ય માટે અને મહેમાનોને ફેશન માટે પણ આવા ડબ્બાપેક ફળો કે શાકભાજી આપીને સ્વાસ્થ્યને કાયમી જોખમાવશો નહિ.
આથી પોતાનાં તેમજ બાળકોનાં સ્વાસ્થ્ય માટે અને મહેમાનોને ફેશન માટે પણ આવા ડબ્બાપેક ફળો કે શાકભાજી આપીને સ્વાસ્થ્યને કાયમી જોખમાવશો નહિ.
