ડુંગળી
વનસ્પતિ વિજ્ઞાનની દ્રષ્ટિએ ડુંગળીનું નામ એલિયમ સેપા છે. એમાં ગંધક, ફોસ્ફરસ, કેલ્શ્યમ વગેરે હોઉં છે તેથી વિશેષ પ્રકારની દૂર્ગધ ધરાવે છે. ડુંગળીમાં જંતિનાશક ગુણ છે. એથી ડુંગળીનો રસ કોલેરા, પ્લેગ જેવાં રોગચાળામાં થોડો થોડો પીવું ફાયદાકારક છે.
ડુંગળીનાં રસથી પકાવેલું તેલ ઘા તેલ તરીકે વપરાય છે. તે જખમ રૂઝવે છે. પાકેલા વ્રણને શુદ્ધ કરીને મટાડે છે. ડુંગળીનો રસ અને અજમાનું ચૂર્ણ મેળવીને શરીરે ખરડ કરવાથી ફ્લુનો કે સુવાવડનો તાવ હળવો પડે છે. પસરસેવો વાળી દે છે અને શરીરમાં થતી વાયુની કળતર-અંગમર્દ મટાડે છે. ડુંગળીની ઉત્તેજક અને ઉગ્ર ગંધ મૂર્છિત માણસને સુંઘાડવાથી ભાનમાં આવે છે.
ડુંગળીની વિવિધ જાત :
ડુંગળીની ધોળી અને રાતી એવી બે જાતો છે,
જાડી મોટી અને નાની એવી પેટા જાતો પણ છે. રાતી ડુંગળીને રાજપલાડું કહે છે. એમાં ગુણ પણ વધારે છે. એલિસન નામનું ઉડ્ડયનશીલ તત્વ ડુંગળીમાં વધારે છે. એ એવું ઉગ્ર છે કે ડુંગળી સુધારાનારની આંખમાં પણ બળતરા થાય અને પાણી આવી જાય. આમ છતાં રાતી ડુંગળીમાં થોડી મધુરતા છે એથી ડુંગળી તીખી હોવા છતાં બહુ પિત્ત કરતી નથી. ડુંગળીનાં પદોમાં રેસા-સેલ્યુલોઝ એટલા બધા છે કે આંતરડામાં પચતાં એ વાયુ-ગેસ કરે છે. રાતી ડુંગળી જ્ઞાનતંતુ અને સ્નાયુ ઉપર વાયુ બારીક અસર કરે છે. ડુંગળી કફ મટાડે છે. ઊંઘ પણ લાવે છે.
સફેદ ડુંગળી વેરાવળની વખણાય છે. એ બહુ તેજ, તીખી અને ઉગ્ર છે. ગરમ અને ઉત્તેજક વધારે છે. શુક્રાણુની સંખ્યા વધારીને એને ગતિ પણ આપે છે. એને લીધે ડુંગળી કોમોત્તેજક છે. સંયમી પુરુષોને પણ ડુંગળી ખાવાથી સ્વપ્નદોષ થાય છે. ડુંગળી મૂત્રલ છે. એથી શરીરમાં ક્યાંય નકામું પાણી સંચિત થયું હોય એને બહાર કાઢી નાખે છે. પથરી પણ કાઢે છે. સોજા મટાડે છે. સ્ત્રીઓને આર્તવ સાફ લાવે છે. ડુંગળી લિવરનાં દર્દો ઉપર પણ ગુણકારી છે એથી કમળો અને પિત્તવિકારો મટે છે. ઉનાળામાં ડુંગળી લૂ લાગવા દેતી નથી. ડુગાસી ડુંગળીની ઉગ્રતા દૂર કરવા મટે એને ઝીણી સમારીને ચારપાંચ વખત પાણીથી ધોઈ લેવી જોઈએ. કૂતરાના કરડ ઉપર ડુંગળીનો રસ લગાડવાથી અને ડુંગળી ખાઈ લેવાથી હડકવાનો ભય ઓછો થઈ જાય છે.
લીલી ડુંગળીના ગુણ કાંદા જેવાં જ છે. ઉપરાંત એનાં પાનમાં રહેલ લીલપ ક્લોરોફીલનો વિશેષ લાભ લીવર મટે મળે છે. ડુંગળીનાં બીજ વાટીને પીવાથી પ્રમેહ મટે છે.
લીલી ડુંગળીના ગુણ કાંદા જેવાં જ છે. ઉપરાંત એનાં પાનમાં રહેલ લીલપ ક્લોરોફીલનો વિશેષ લાભ લીવર મટે મળે છે. ડુંગળીનાં બીજ વાટીને પીવાથી પ્રમેહ મટે છે.
ડુંગળીનાં ઉપયોગમાં સાવચેતી :
ડુંગળીનો ઉપયોગ પોતાની પ્રકૃતિ અને દેશની પ્રકૃતિ ઋતિની પ્રકૃતિ જોઈને કરવો જોઈએ. પિત્ત પ્રકૃતિવાળાઓએ તેમ જ ગરમ દેશના માણસોએ એનો ઉપયોગ સમજી વિચારીને કરવો જોઈએ. શિયાળામાં એનો પ્રમાણસર ઉપયોગ થાય તો હરકત નથી. નહિતર લોહીને ગરમ અને પાતળું કરે છે. એથી લોહી ગમે તે માર્ગેથી બહાર આવવા માંડે છે. ચક્કર આવે છે. માથાના વાળ ધોળા થઈને ખરી જાય છે. સ્ત્રીઓને અતિશય આર્તવ આવે છે. અને પુરુષોને શુક્રયાત વધીને પ્રમેહ પણ થઈ જાય છે.
ડુંગળીમાં રહેલો ફોસ્ફરસ અને ઉષ્ણ, તીક્ષ્ણ, ઉત્તેજક ગુણો જેને શરીરની સખત શ્રમ કરવાનો હોય છે. એને પચી જાય છે. અને વિકૃતિ કરતાં નથી. પરંતુ બેઠાડુ વ્યવસાય અને બુધ્ધીજીવીઓના શરીરમાં એ વિકૃતિ કરે છે.



0 comments:
Post a Comment