Ayu Benefit
  • Home
  • Business
    • Internet
    • Market
    • Stock
  • Parent Category
    • Child Category 1
      • Sub Child Category 1
      • Sub Child Category 2
      • Sub Child Category 3
    • Child Category 2
    • Child Category 3
    • Child Category 4
  • Featured
  • Health
    • Childcare
    • Doctors
  • Home
  • Business
    • Internet
    • Market
    • Stock
  • Downloads
    • Dvd
    • Games
    • Software
      • Office
  • Parent Category
    • Child Category 1
      • Sub Child Category 1
      • Sub Child Category 2
      • Sub Child Category 3
    • Child Category 2
    • Child Category 3
    • Child Category 4
  • Featured
  • Health
    • Childcare
    • Doctors
  • Uncategorized

Friday, August 31, 2018

મીઠા લીમડાનાં ગુણ અને ફાયદા | Health Benefit of Curry Patta Plant in Gujarati

 Priti     August 31, 2018     Curry Patta Plant, મીઠો લીમડો     No comments   


મીઠો લીમડો
       મીઠા લીમડાને કળી પત્તા પણ કહેવામાં આવે છે. પ્રાચીન કાળથી તેનો ઉપયોગ રસોઈમાં થાય છે. રસોઈમાં ઘી કે તેલમાં વધારવાથી તે સ્વાદિષ્ટ થઈ જાય છે. તેના પાંદડા ખુબસુવાડા છે.તેના પાંદડામાંથી ઓક્સાલિક, કાર્બોહાઇડ્રેડ, કેલ્શિયમ, ફોસ્ફરસ, આયરન અને નિકોટીન એસિડ મળે છે.


         મીઠો લીમડો ભરપૂર ઐષધીય ગુણથી પરિપૂર્ણ છે. તેના પાંદડાની પેસ્ટ કરી પિમ્પલ પર લગાડવાથી તે મટે છે અને ડાઘ દૂર કરે છે અને ચહેરાને સુંદર બનાવે છે. તેના પાવડરનું દરરોજ 3-4 ગ્રામ સેવન કરવાથી ડાયાબિટીસ મટે છે. તેને પાવડરને ચહેરા પર લગાડવાથી ચહેરાની ક્રાંતિ વધે છે. શરીર પર પણ લગાવી શકાય છે.

          તેનું તેલ ત્વચા માટે ફાયદાકારક છે. તેને ફળ આવે છે તે પાકે ત્યારે દરરોજ તેને પીસ કરી 1 ચમચી લેવાથી રક્ત દોષ દૂર થાય છે.
          રોજ સવારે 5-6 પત્તા મીઠો લીમડો 2-3 મહિના લેવાથી ફાયદો થાય છે. મીઠા લીમડાની જળો આંખો અને કિડની માટે ફાયદાકારક છે. મીઠા લીમડામાં આયૅન, ઝીંક,  કોપર બીટા કોશિકાને નષ્ટ કરે છે.  ડાયાબિટીસમાં કંટ્રોલ કરે છે. અને બ્લડસુગર લેવલ કમ કરે છે.

        તેમાં ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો આવેલા છે.  જે વાળની જડોને મજબૂત બનાવે છે.

મીઠા લીમડાનાં ઐષધિય પ્રયોગો :

- મીઠા લીમડાનાં પાંદડાને કપાળ પર લગાડવાથી માથાનો દુઃખાવો દૂર થાય છે.

- 5-10 મીઠા લીમડાનાં રસમાં મધ મિક્સ કરી પીવાથી ઉધરસનો વિકાર દૂર થાય છે.
- મોઠાના ચાંદા મટાડવા હોય તો લીમડાના બાફેલા પાણીથી કોગળા કરો અને અને 2-4 પાંદડા ચાવવાથી મોં ની ગંધ દૂર થાય છે.
- લીમડાને પાણીમાં વાટી ઉલટીમાં પીવાથી લાભ થાય છે.
- લીમડાના પાંદડામાં લીંબુ રસ મિક્સ કરી લેપ કરવાથી પિત્ત અને દાહમાં લાભ થાય છે. 



Read More
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

Wednesday, August 29, 2018

એલોવિરા જેલના ગુણ અને ફાયદા | Benefit of Aloe vera Gel in Gujarati

 Priti     August 29, 2018     એલોવિરા જેલ     No comments   


  એલોવિરા આયુર્વેદનું એક વરદાન છે.  ગુજરાતીમાં તેને કુંવારપાથુ,  હિન્દીમાં ધી કુઆર અને સુંસ્કૃતમા ઘૃત કુઆરીકા કહે છે.






         એલોવીરા જેલ માં એવા તત્વો આવેલા છે કે આપણી સ્કિન માટે ફાયદાકારક છે.  સનબર્ન,  પિમ્પલ પર લાગવી શકાય છે. ચહેરો સુંદર બનાવે છે.
શરીર પર લગાડવાથી શરીરની સ્ફૂર્તિ વધે છે અને સ્કિન સારી રહે છે.
        એલોવિરા જેલ વાળ માટે પણ લાભદાયક છે.

એલોવિરા જેલમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન, મિનરલ, સુગર, ઈન્ઝાઇન અને એમિનો એસિડ આવેલ છે.

વિટામિન A,C,એ અને B12 આવેલ છે.
તેમાં 90% સુધી પાણી છે.

એલોવિરા જેલ ના સેવનથી શરીરની ગંદકી જલદી બહાર આવે છે.

એલોવિરા જેલ અથવા તો એલોવીરા જેલ અને મધનું દરરોજ સેવન કરવાથી થતાં ફાયદા :

- ડાઇજિસ્ટ સિસ્ટમ માટે ફાયદા કારક છે. એલોવિરામાં લેકઝેટીલ પ્રોપટી ડાયજિસ્ટ સિસ્ટમને મેન્ટેઈન કરે છે. અને પાચન તંત્ર સારુ રાખે છે.

- દિલ માટે ફાયદાકારક છે.
- કોલેસ્ટ્રોન માટે રામ બાણ દવા છે.
- બ્લડનું સરક્યુલેશન મેન્ટેઈન રાખે છે.
-ટોકસીનને ફ્લશ કરી બહાર કાઠે છે.
- ચરબીમાં કંટ્રોલ કરે છે.
- વેઈટ લોસ માં મહત્વ પૂર્ણ છે.
- ઈમ્યુન સિસ્ટમ સ્ટ્રોંગ કરે છે.
- કેન્સર માટે પણ ફાયદા કારક છે.
- શરીરને હાઈડ્રેડ રાખે છે.
- બ્લડ સરક્યુલેશન માટે ઉપયોગી છે.
- ઘૂંટણના દર્દમાં પણ તે રાહત આપે છે.
- દઝાઈ સ્કિન પર પણ લાગવી શકાય છે. તેનાથી ફોલ્લો કે નિશાન રહેતું નથી અને દાહથી રાહત મળે છે.
- ડાયબિટમાં પણ સારુ છે.
- સરદર્દ અને માઈગ્રેઈનમાં પણ ફાયદાકારક છે. તેની જેલને કપાળ પર લગાડવાથી રાહત રહે છે.
- ઓરથોડાઈઝ અને લિવર માટે પણ ફાયદાકારક છે.


          એલોવિરા ખેતરમાં, વાડામાં કે ઘરમાં કુંડામાં પણ વાવી  શકાય છે અગર ન વાવી શકાય તો બજારમાં તૈયાર જેલ પણ મળે છે.
           તેના સેવન તરીકે ઉપયોગમાં લઈએ ત્યારે તેમાં રહેલો પીળો રસ નીકળી લેવાનો રહેશે. તેને તોડ્યા બાદ 1-2 કલાક વાસણમાં ઉભું મૂકી રાખવાથી તે નીકળી જશે.

  એલોવિરાના સેવનની રીત :
10 દિન લેવું પછી 10 દિન ગેપ કરવી.
સીમિત માત્રામાં લેવું. 1 ચમચી એલોવિરા + 1 ચમચી મધ
મધ વગર પણ લઈ શકાય છે.
ખાવાનું ખાતા પહેલાં લેવું. સવારે ખાલી પેટે પણ લઈ શકાય છે.

એલોવિરાનું સેવન કોને નહિ કરવું :
નાના છોકરા (12 સુધીના ) ને તેનું સેવન ન કરાવવું.
પેગનન્ટ લેડી અને બાળકને દૂધ પીવડાવતી લેડી પણ ન કરે.
કિડની પ્રોબ્લેમ હોય તે પણ ન કરે.
રેગ્યુલર ડીઝીઝ કે જેમની દવા ચાલતી હોય તે ન કરે અને કરવું હોય તો ડોક્ટરની સલાહ લઈને કરે.    

       





Read More
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

Wednesday, August 22, 2018

અડૂસીના ગુણ અને ફાયદા

 Priti     August 22, 2018     અડૂસી, અડૂસીનો ઉપયોગ     No comments   

અડૂસી 
        અડૂસીને આયુર્વેદમાં શ્રેષ્ઠ કફનાશક કહી છે. કારણકે અડૂસીમાં રહેલો કડવો અને તૂરો રસ સારી રીતે કફનો નાશ કરે છે.


       અડૂસીને આયુર્વેદમાં શ્રેષ્ઠ કફનાશક કહી છે. કારણકે અડૂસીમાં રહેલો કડવો અને તૂરો રસ સારી રીતે કફનો નાશ કરે છે.
અડૂસી એક ઔષધિય વનસ્પતિ છે. એનાં પર્ણોમાં વેસિન નામક ઉપક્ષાર હોય છે, જેનો ઉપયોગ વિભિન્ન પ્રકારની દવાઓના રૂપમાં કરવામાં આવે છે. ઔષધિઓ અરડૂસીનાં પાંદડાંઓ તેમજ મુળિયાંઓમાંથી તૈયાર કરવામાં આવે છે.
     તેનો છોડ ૪ થી ૧૦ ફૂટ ઉંચો થાય છે તેના પાન જામફળીનાં પાનને મળતાં ૩-૪ ઇંચ લાંબા અને દોઢ – બે ઇંચ પહોળાં તથા અણીદાર હોય છે. તેની પર તુલસીની માંજરની જેમ હારબંધ સફેદ રંગના ફૂલ થાય છે. તેની ધોળી અને કાળી એમ બે જાતોમાં કાળી વધુ ગુણકારી, ગરમ અને કફનાશક છે. ઘણે સ્થળે બાગ-બગીચા તથા ખાનગી ખેતર-વાડીમાં તે વવાય છે.
      સુકી અને કફવાળી એમ બન્ને ઉધરસમાં અરડૂસી ખૂબ જ 
હિતાવહ છે.કફ  છૂટતો ન હોય, ફેફસામાં અવાજ કરતો હોય, કાચો ફીણવાળો કફહોય, ઉધરસ દ્વારા તેને કાઢવામાં તકલીફ થતી હોય, તેમાં અરડૂસીસારુ કામ કરે છે. અડૂસી એ ક્ષયમાં ખુબ જ સારી છે.ક્ષયની આધુનિક દવા ચાલતી હોય તેની સાથે પણ અરડુસીનો ઉપયોગ થઈ શકે. અડૂસી ઉત્તમ ઉત્તેજક, કફનિઃસારક અને સંકોચ વિકાસ પ્રતિબંધક છે, તેના ફૂલો, તીખાં, કડવા, તૂરા, મૂત્રજનન, કફધ્ન, જવરધ્ન અને લોહીની ઉષ્ણતા ઓછી કરનાર છે.

અડૂસી નો ઉપયોગ :

ખાંસી, શ્વાસ, કફ અને ક્ષય રોગ માટે અડૂસીનાં પાન તથા તેનાં પુષ્‍પોનો રસ કાઢી, તેમાં મધ નાખી રોજ સવાર-સાંજ આપવો.
અડૂસીના પાનનો તાજો રસ પીવાથી ઉધરસ, રક્તપિત્ત, કફજ્વર, 
ફલુ, ક્ષય અને કમળામાં ફાયદો થાય છે.
અડૂસી ના રસ નો ઉપયોગ કરવાથી રક્તપિત્ત,લોહી ની
વાઉલ્ટીથવી,મળમૂત્ર માર્ગ થી લોહી પડવું ,દાત માંથી પડવું લોહી  વગેરે જે રોગો ને મટી શકે છે.

Read More
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

રોગના પ્રાથમિક ઉપચાર

 Priti     August 22, 2018     No comments   


અળાઈ :
ચારોડુને ખાંડી અળાઈ ઉપર ઘસો

અપચો :
એલચી છોડા સાથે સાકરમાં ખાવી

અશક્તિ :
ખોરાક બંધ કરી છાશ પર જ રહેવું. લીંબુ, મધનો શરબત અને મોસંબીનો રસ લેવો.

અનિદ્રા:
પીપરીમૂળના ગંઠોડા અને ગોળ ભેગાં કરી લેવા.

અજીરણ :
ડુંગળીનો રસ દહીં સાથે આપવો. બધો ખોરાક બંધ કરી છાશ ઉપર રહો. તેમાં ફુદીનો, આદું, લસણ, કોથમીરની ચટણી બનાવીને નાખો.

અતિશય પરસેવો :
થોડું મીઠું લેવાનું રાખો.

આફરો :
હરડે, પીપરીમૂળ અને ગોળની ગોળીઓ કરી લેવી. ગરમ પાણીમાં લીંબુનો રસ એક એક તોલા સાથે પા તોલો સોડા-બાય-કાર્બ નાખી પીવું.

આંટણ :
દીવેલનાં મીંજને કાઢી તેને ગરમ કરી પોટિસ જેવું બનાવી ઉપર ચોપડવું.

આંખનું દુખવું :
કોથમીરનો રસ મુકવો. ઝાકળના પાણીથી ધોવી.

આંચકી :
આદુંનો રસ અને મધ મેળવીને આપવું

ઉલટી:
માયફળને ઘસી મધ સાથે પીવું , ફુદીનાનો રસ પીવો, બરફ ચૂસવો.

ઉધરસ :
અડુસીના પાનનો રસ પીવો.

કબજિયાત:

સીનામુખીનો ઉકાળો પીવો. હરડે વાટી ફાકો મારવો.

કમળો :

આરોગ્યવર્ધીની લેવી.

કફ :

લવિંગ ખાતા રહેવું, અરડૂસીનો રસ તોલો  1 અને મધ તોલો 1 મેળવી પીવો.

કમરનો દુઃખાવો :

આમળાં અને ગોખરુ વાટી મધમાં ચાટો.

કંઠરોગ :

મૂળા ખાવા.

કાનનું દુખવું :

આદુંનો રસ કાનમાં રેડવો. 

કાનમાં રસી :

ત્રિફળાની બે ગોળીઓ સવાર સાંજ લેવી.

કાનમાં ખંજવાળ :

તલના તેલમાં લીમડાનાં પાન તળી તે તેલ કાનમાં રેડવું.

કાળજાનો રોગ:

સુરણ ખાવાનું રાખવું.

કોલેરા :

ડુંગળીનો રસ પીવો. ફુદીનાનું શરબત બનાવી પીવું.

કાંટો :
કાંટો ન નીકળે તો કાળિયો ગુંદર ચોપડો. ગરમ પાણી શીશીમાં ભરી તે ઉપર રાખવી.

કોઢ :
મંજીષ્ટાદિ કવાથ તોલા બે, પા શેર પાણીમાં ઉકાળી પીવો. માલકાંકણીનું તેલ, લીમડાનું તેલ મેળવીને એનું માલિશ કરવું.

કાળી ચામડી :
પચે તેવો ખોરાક લેવો.

ખરજવું :
પાપડખાર અને લીંબુનો રસ ચોપડવા. તલના તેલમાં લીમડાનાં પાન ઉકાળી એમાં સોમલગેરુ, વેસેલાઈન અને ઝીંક મેળવી બનાવી ચોપડવો.

ખસ :
ગંધક અને કપૂરનો મલમ લગાડવો.

ખંજવાળ:
લીમડાનાં પાનનો રસ ચીપડવો.

ખાંસી :
શોતોપલાદિ ચૂર્ણ લેવું, અરડૂસીનો રસ તોલો બે, આદુંના રસ સાથે લેવો.

ખોડો :
મીઠું અને લીંબુ ઘસવું. આમળાનું તેલ ઘસવું.

ખીલ :
દૂધની તર અને બદામ ઘસી ચોપડવી.

ગળું દુખવું :
ફટકડીના કોગળા કરવા,આમળાંને ઉકાળી તેમાં મધ નાખી કોગળા કરવા.

ગળફા :
અરડૂસીનો રસ તોલા બે, આદુંનો રસ તોલો એક અને મધ તોલો એક મેળવીને પીઓ.

ગાળાનું કેન્સર :
મીઠું બંધ કરો અને મંજીષ્ટાદિ કવાથ અને પ્રવાહી લો.

ગેસ :
બધો ખોરાક બંધ કરી છાશ પર જ રહો. છાશમાં ફુદીનો, આદું, લસણ, કોથમીરની ચટણી બનાવીને નાખો.

ગૂમડું :
લીલી હળદરનો રસ, પારાનો મલમ ચોપડવો.

ઘા :
મીઠાનું પાણી અગર મીઠું તેલ લગાડી ગોટાના ફૂલને દબાવવું. ફટકડી અગર કરોળિયાનું જાડું અગર રૂ બાળી ઉપર દાબવું.

ગોનોરિયા : 
ધાણા, ગળો સમાન વજને લઈ કેળના રસ સાથે સવારસાંજ લો.

ચામડીના રોગ :
લસણ અને કોપરેલ ચોપડવા

ચાંદા :
માયું અને જેથિમધ અડધો તોલો લઈ ચૂર્ણ કરી મધમાં મેળવી મોઢામાં લગાડવું.

તાવ :
તુલસી અને કાળાં મરીનો ઉકાળો પાવો. સુદર્શનચૂર્ણ લેવું.

થાક લાગે તો ગાયનું ગરમ દૂધ પીવું.

ત્રિદોષ :
પરવળનું શાક ખાવું.

દાંતનું દુખવું :
લવિંગ વાટી દુખે ત્યાં રાખો, લોબાન અને સોનાગેરુ વાટી મૂકવું.

દાઝવું :
કળીચૂનાના પાણી સાથે તેલ ભેગું કરી ચોપડવું, થોડું ટરપેનટાઉન લગાડવું.

નસકોરી ફૂટવી :
ડુંગળી ભાંગી જોરથી સૂંઘાડવી, ખાઈએ તેમ મોઠું હલાવવું અને બોચી ઉપર ટાઢું પાણી રેડવું. હાઇટ્રોજન પેરોક્સાઇસનું પૂમડું મૂલવું.

નાકનું દુખવું :
દિવેલ ઊનું કરી સુંગવું.

પગમાં ચીરા :
કોકમનું ઘી ચોપડવું, જોડાને દિવેલ લગાડી નિયમિત પહેરવા.

પગનો થાક :
મીઠાના પાણીમાં બોળવા.

પેટમાં ચૂંક :
સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણ લેવું.

પેટમાં દર્દો :
કરેલા ખાવાથી મટે છે.

પિત્તાશય માટે : 
લીંબુનો રસ લેવો.

પાયોરિયા :
લીલાં આમળાંનો રસ તોલા લઈ એમાં થોડી સાકાર ભેળવી પીવો. અને દાંતે તેલ સવાર સાંજ સારી રીતે ઘસો.

પીળા દાંત :
લીબું અને મીઠું ઘસો.

પેઠુમાં શૂળ :
સુંઠ, મરી અને પીપરનું ચૂર્ણ મેળવી ખાવું.

ફોલ્લી :
કપાળે વધતી ફોલ્લી ઉપર સોના ગેરુને ગુલાબજળમાં મેળવી ઘસવું.

બળિયા :
લિબોડીનું તેલ ચોપડવું. ખાડા ઉપર માખણ ને હળદર લગાડવી. જંગલી કેળાંના બી થોડે થોડે વખતે વાટીને ખાવા.

બરોળ : 
પપૈયા ખાવાં. સરગવાની સીંગો ખાવી.

બ્લડપ્રેશર :
ચિત્તમાં શાંતિ રાખવી. બને એટલી નકામી ચિંતા કરવી નહિ. પેટ સાફ રહે તે માટે હરડે સવારમાં લેવી.

બોબડાપણું :
એ વ્યાધિ મનની નબળાઈનો છે.

બેભાન થાય તો સ્મેલિંગ સોલ્ટ અથવા ડુંગળી કાપી સૂંઘાડવી.

મસા :
ઘોડાનો વાળ બાંધવો.

મરડો :
ઇસબગોલના બી ખાવાં. દિવેલ, આદુંનો રસ અને લીંબુનો રસ દરેકને અર્ધો તોલો મેળવી સવારે ચાટી જવું. ભૂખ્યા રહી છાશ પીવી.

મધુપ્રમેહ :
બીલીપત્ર ખાવાં

મેલા હાથ :
લીબુંના રસમાં મીઠું નાખી હાથ ધોવા. ટંકણખાર પાણીથી ધોવા.

મૂત્રના રોગ :
જવનું પાણી છૂટથી પીવું.

મગજનાં રોગ થાય તો શિવાક્ષાર લેવો.

માથું દુખવું :
બદામનો લેપ ચોપડવો. સોનામુખીનો રેચ લેવો. કેફીસ્પિરિનની ગોળી ખાવી.

મરી ગયેલી ભૂખ :
લીબુનો રસ, આદુંનો રસ તથા મધ તોલા એક એક સાથે સોડા -બાઈ -કાર્બ નાખી પીવો.

મંદાગ્નિ :
લીબુનો રસ સાથે કાળીજીરી ઉકાળી લેવાનું રાખો.

મેલેરિયા થાય તો કવીનાઈન લેવું.

મોઠું આવવું :
જેઠીમધનું ચૂર્ણ લો.

યાદશક્તિ :
શંખાવલી તોલા બે, જેઠીમધનું ચૂર્ણ તોલા ચાર, આમળાં તોલા ચાર, એ બધાના ચૂર્ણને માખણ અને મધ સાથે ચાટવું. ઉપર ગાયનું તાજું દૂધ પીવું.

રક્તવિકાર :
મૂળા ખાઓ

રક્તપિત્ત :
પોઈની ભાજી ખાવી.

રતવા :
લીલી ધરોનો રસ આપવો અને ગુમડાં ઉપર તે રસ ચોપડવો. લીમડો, કડુ, હરડે, આમળાં અને સુખડ બે તોલા લઈ અર્ધો શેર પાણીમાં ઉકાળી પાવું.

લોહીવા :
ભૂરું કોળું ખાવું.

લોહીનું દબાણ :
લસણની 7 કળી ઘીમાં સહેજ ગરમ કરીને ખાવી.

વધરાવળ :
પા તોલો આખી મેથી ગળો.

વધુ પેશાબ :
તેલ અને સાકાર ખવડાવવા. ફૂદુંનાનો રસ પીવો.

વધતો મેદ :
વાવડિંગનો ઉકાળો કાયમી લેવો. ઉકાળો ન  લો તો વાવડિંગનું ચૂર્ણ પાણી સાથે લેવું.

ભોજન કેમ ઘટે :
ભોજનમાં ભાતની સાથે હીંગાષ્ટક તોલો અને ઘી તોલો  ખાવાં.

વજન કેમ વધે -
દૂધ તોલા 10, પાણી તોલા 10 ને ઉકાળી પાણી બડી જાય એટલે આમળાનું સાદું જીવન તોલો 1ચાટી તે ઉપર ઉકાળેલું દૂધ પીવું.

વધુ પડતી ઊંઘ -
દિવસમાં ઊંઘવું નહિ. થાક લાગે એવું કામ કરવું અને વધારે ખાવું નહિ.

વિટામિન એ માટે દૂધ,  બી માટે ઘઉં,  સી માટે શાકભાજી, ડી માટે સૂર્યનાં કિરણ.

વાળનું ખરવું -
નાળિયેરનું દૂધ ઘસવું, કંકોડાની ગાંઠ ઘસી ચોપડવી.

વાસ -
ડુંગળીની વાસ માટે મીઠું ઘસવું અને ગ્યાસતેલની વાસ કાઠવા માટે નાગરવેલનું પાન ઘસવું.

વીંછીનું કરડવું -
મધ લગાડવું. બે નાગરવેલનાં પાન મીઠું નાખી ખાવાં, ડુંગળીનો રસ ચોપડવો, ફટકડીનું પાણી ચોપડવું.

સળેખમ -
અગ્નિ ઉપર મીઠું નાખી શ્વાસ લેવો.

સરાક -
મીણબત્તીનો રસ ચોપડવો.

શરદી -
કપુરવાળું તેલ ગરમ કરી, ગળે ઘસવું, આદુંનો રસ પીવો. ટેનિન ગ્લિસરીનના કોગળા કરવા.

સફેદ વાળ -
લીલું આમળું અને લીલી ગળોનો રસ સાકર નાખી હંમેશાં પીવો.

સંધિવા -
મેથીની ભાજી ખાવી.

સુક્તાન -
ટામેટાનો રસ પીવો.

સોજા -
તુલસીનાં પાન વાટી ચોપડવા. લીમડાનાં પાન ગરમ કરી બાંધવા.

સાપનું ઝેર -
ડંખ ઉપર ગ્યાસતેલ ત્રણ કલાક મૂકી રાખવું. ડુંગળી કાપી મૂકવી. પાંદડા ગરમ કરી બાંધવા.

શીતળા -
જંગલી કેળાંના બી એક એક વાટી પાંચ દિવસ ખાવાં.

સારણગાંઠ -
ઓપરેશન કરાવવું.

સુવારોગ -
આ રોગમાં સિતોપલાદિ, પીપરીમૂળ અને સુવાવડનો ઉકાળો આપવો.

હરસ -
ધોળાં રીંગણાં ખાવાં. સુરણનું શાક ખાવું. હરડે અને ગોળની ગોળી બનાવી ખાવી.

હડકાયું કૂતરું -
એનાં ઈન્જેકશન આવે છે તે લેવાં.

હેડકી -
નાગરવેલનું કોપરું સાકર સાથે ખાંડી ખાવું.

હિસ્ટીરિયા -
હળદરનો ધુમાડો ધરવો. ડુંગળી છુંદી સૂંઘાડવી, વાવડિંગને પાણીમાં ખૂબ ઉકાળી પછી ગાળી ઠરાવ દઈને તે પાણી પીવું.

હૃદયના રોગ -
કોબી ફ્લાવર ખાવાં.

હૃદયની ગભરામણ -
નિયમિત શરીરે તલના તેલનું માલિશ કરો. મનથી મજબૂત રહો.

હાથપગની તાણ -
વાવડિંગ તોલો પાંચને પાણી શેર પાંચમાં ઉકાળી અડધું રહે ત્યારે ગાળીને તે પાણી આખો દિવસ પીવું.

હાથીપણું -
ગાયનું મૂત્ર તોલા એમાં એક આનીભાર હળદર મેળવી સવારસાંજ પીઓ.

હાડકું ભાગવું -
લોબાનનો ધૂપ રાહત આપે છે.

ક્ષય -
તુલસીનાં પાન ખાવાં, ભૂરું કોળું ખાવું, લસણની પાંચ કળીના ટુકડા થોડા માખણ સાથે ગરમ કરી ખાવાં.

કરમિયા -
ઇંદ્રજવ વાટી પાવા, કેળના ફૂલ બાફી ખાવાં.



















Read More
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

Friday, August 10, 2018

ડુંગળીનાં ગુણ, ફાયદા અને ઉપયોગ

 Priti     August 10, 2018     ડુંગળીનો ઉપયોગ, ડુંગળીનો રસ     No comments   


ડુંગળી
        વનસ્પતિ વિજ્ઞાનની દ્રષ્ટિએ ડુંગળીનું નામ એલિયમ સેપા છે. એમાં ગંધક, ફોસ્ફરસ, કેલ્શ્યમ વગેરે હોઉં છે તેથી વિશેષ પ્રકારની દૂર્ગધ ધરાવે છે. ડુંગળીમાં જંતિનાશક ગુણ છે. એથી ડુંગળીનો રસ કોલેરા, પ્લેગ જેવાં રોગચાળામાં થોડો થોડો પીવું ફાયદાકારક છે.





        ડુંગળીનાં રસથી પકાવેલું તેલ ઘા તેલ તરીકે વપરાય છે. તે જખમ રૂઝવે છે. પાકેલા વ્રણને શુદ્ધ કરીને મટાડે છે. ડુંગળીનો રસ અને અજમાનું ચૂર્ણ મેળવીને શરીરે ખરડ કરવાથી ફ્લુનો કે સુવાવડનો તાવ હળવો પડે છે. પસરસેવો વાળી દે છે અને શરીરમાં થતી વાયુની કળતર-અંગમર્દ મટાડે છે. ડુંગળીની ઉત્તેજક અને ઉગ્ર ગંધ મૂર્છિત માણસને સુંઘાડવાથી ભાનમાં આવે છે.


ડુંગળીની વિવિધ જાત :

        ડુંગળીની ધોળી અને રાતી એવી બે જાતો છે, 


              જાડી મોટી અને નાની એવી પેટા જાતો પણ છે. રાતી ડુંગળીને રાજપલાડું કહે છે. એમાં ગુણ પણ વધારે છે. એલિસન નામનું ઉડ્ડયનશીલ તત્વ ડુંગળીમાં વધારે છે. એ એવું ઉગ્ર છે કે ડુંગળી સુધારાનારની આંખમાં પણ બળતરા થાય અને પાણી આવી જાય. આમ છતાં રાતી ડુંગળીમાં થોડી મધુરતા છે એથી ડુંગળી તીખી હોવા છતાં બહુ પિત્ત કરતી નથી. ડુંગળીનાં પદોમાં રેસા-સેલ્યુલોઝ એટલા બધા છે કે આંતરડામાં પચતાં એ વાયુ-ગેસ કરે છે. રાતી ડુંગળી જ્ઞાનતંતુ અને સ્નાયુ ઉપર વાયુ બારીક અસર કરે છે. ડુંગળી કફ મટાડે છે. ઊંઘ પણ લાવે છે. 


        સફેદ ડુંગળી વેરાવળની વખણાય છે. એ બહુ તેજ, તીખી અને ઉગ્ર છે. ગરમ અને ઉત્તેજક વધારે છે. શુક્રાણુની સંખ્યા વધારીને એને ગતિ પણ આપે છે. એને લીધે ડુંગળી કોમોત્તેજક છે. સંયમી પુરુષોને પણ ડુંગળી ખાવાથી સ્વપ્નદોષ થાય છે. ડુંગળી મૂત્રલ છે. એથી શરીરમાં ક્યાંય નકામું પાણી સંચિત થયું હોય એને બહાર કાઢી નાખે છે. પથરી પણ કાઢે છે. સોજા મટાડે છે. સ્ત્રીઓને આર્તવ સાફ લાવે છે. ડુંગળી લિવરનાં દર્દો ઉપર પણ ગુણકારી છે એથી કમળો અને પિત્તવિકારો મટે છે. ઉનાળામાં ડુંગળી લૂ લાગવા દેતી નથી. ડુગાસી ડુંગળીની ઉગ્રતા દૂર કરવા મટે એને ઝીણી સમારીને ચારપાંચ વખત પાણીથી ધોઈ લેવી જોઈએ. કૂતરાના કરડ ઉપર ડુંગળીનો રસ લગાડવાથી અને ડુંગળી ખાઈ લેવાથી હડકવાનો ભય ઓછો થઈ જાય છે.

        લીલી ડુંગળીના ગુણ કાંદા જેવાં જ છે. ઉપરાંત એનાં પાનમાં રહેલ લીલપ ક્લોરોફીલનો વિશેષ લાભ લીવર મટે મળે છે. ડુંગળીનાં બીજ વાટીને પીવાથી પ્રમેહ મટે છે.

ડુંગળીનાં ઉપયોગમાં સાવચેતી :

        ડુંગળીનો ઉપયોગ પોતાની પ્રકૃતિ અને દેશની પ્રકૃતિ ઋતિની પ્રકૃતિ જોઈને કરવો જોઈએ. પિત્ત પ્રકૃતિવાળાઓએ તેમ જ ગરમ દેશના માણસોએ એનો ઉપયોગ સમજી વિચારીને કરવો જોઈએ. શિયાળામાં એનો પ્રમાણસર ઉપયોગ થાય તો હરકત નથી. નહિતર લોહીને ગરમ અને પાતળું કરે છે. એથી લોહી ગમે તે માર્ગેથી બહાર આવવા માંડે છે. ચક્કર આવે છે. માથાના વાળ ધોળા થઈને ખરી જાય છે. સ્ત્રીઓને અતિશય આર્તવ આવે છે.  અને પુરુષોને શુક્રયાત વધીને પ્રમેહ પણ થઈ જાય છે.


        ડુંગળીમાં રહેલો ફોસ્ફરસ અને ઉષ્ણ, તીક્ષ્ણ, ઉત્તેજક ગુણો જેને શરીરની સખત શ્રમ કરવાનો હોય છે. એને પચી જાય છે. અને વિકૃતિ કરતાં નથી. પરંતુ બેઠાડુ વ્યવસાય અને બુધ્ધીજીવીઓના શરીરમાં એ વિકૃતિ કરે છે.





        



Read More
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

Friday, August 3, 2018

અપચો અને તેનો ઈલાજ

 Priti     August 03, 2018     અપચો     No comments   

 
અપચો :
      'અપચો' એટલે અજીર્ણ, આ ફરિયાદ લગભગ રોજની થઈ ગઈ છે. કારણ કે, આ યત્રવત જીવનમાં માનવીને ન તો ખાવાનો ટાઈમ છે કે, ન તો સુવાનો, પરિણામે 'અપચો' પણ રોજની ફરિયાદ થઈ ગયો છેં.

અપચો 



અપચો થવાના કારણો :


  • અનિયમિત ભોજન, ભૂખ ન પણ હોય તો પણ વારંવાર ખાવાની આદત, રાત્રે ખૂબ મોડા જમવાની આદત અથવા જમીને તરત જ સુવાની આદત. 
  • દરેક વખતે પેટ ભરીને જમવાની આદત. ભોજન ઠાંસી ઠાંસીને ખાવું. 
  • અતિસ્વાદિષ્ટ,  મસાલાવાળા, તીખા, ખારા, ખાટા, પદાર્થોનું સેવન. 
  • ચા-કોફી દારૂનું અધિક સેવન. 
  • મંદ પચન શક્તિ. 
  • ઉતાવળે જમવું, જમતી વખતે વાતો કરવાની આદત, બરાબર ચાવી ચાવીને ન જમવું. 
  • કબજિયાત માટે રેચક દવાઓ લાંબા સમય સુધી લેવી. 
  • સગર્ભાવસ્થા દરમિયાન આ તકલીફ સામાન્ય છે. 
  • વધુ પડતા ઉપવાસ કરવાની આદત. 
  • પેટમાંનાં ચાંદા 
  • અન્નનળી કે હોજરીનો સોજો 
  • હાયેટસ હર્નિયા, અતિશય નબળાઈ,  પેટમાનાં કરમિયા 
  • અતિશય ચિંતાવાળો, ક્રોધી, સ્વભાવ 
  • મળ, મૂત્રના વેગને રોકવાની આદત 

અપચોના લક્ષણો :
  • ખોરાકનું  પાચન બરાબર થતું નથી
  • ખાધેલા ખોરાકના ઓડકાર આવે પેટ ભારે ભારે લાગે, મોંમાં કડવાશ લાગે. 
  • છાતીમાં બળતરા થાય.  આળસ, બેચેની જણાય, પેટમા ગડગડાટ થયા કરે. 
  • માથામાં દુઃખાવો થાય, શરીર દુઃખયા કરે.  ભૂખ ઓછી થઈ જાય. 
  • વારંવાર મોં, જીભ આવી જાય, મોંમાં ચાંદા પડે. 
  • મોળ ચડે, ઉબકા આવે, જીભ પર સફેદ છારી બાજી જાય. 

અપચોનો  ઘરગથ્થુ ઈલાજ :

  • ૠતુ પ્રમાણેનો સુપાચ્ય ખોરાક લેવો. 
  • જમતી વખતે કદી પણ વાતો ન કરવી જેથી ચાવી ચાવીને જમાય. 
  • રાત્રે મોડા ન જમવું,  જો મોડા જમવાની આદત હોય તો જમીને તરત સુઈ ન જવું.  જમીને ચાલવાની આદત રાખવી. 
  • ખોરાકમાં કાચા સલાડ તેમજ પ્રવાહીનો વધુ ઉપયોગ કરવો. 




Read More
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

Wednesday, August 1, 2018

મેથીના વિવિધ ફાયદા

 Priti     August 01, 2018     મેથી, મેથીના ઉપયોગ     No comments   


મેથી
મેથી વાયુના અને કફના પ્રકૃતિવાળા માટે ઉત્તમ છે. મેથીનું મુખ્ય કાર્ય પાચન સંસ્થાન પર થાય છે. 


     આમાશયનું રાસસ્ત્રાવ આનાથી વધે છે. સબળ થાય છે. અને આગળ આંત્રમાં યકૃત પિત્ત વધારે પ્રમાણમાં મળે છે અને આનાથી આ રીતે આમપાચન થાય છે. પેટમાં થતા નાના નાના કરમનો નાશ કરી આંતરડામાં આકુંચન પ્રક્રિયા કરે છે. આહાર રસમાંથી શોષણ પ્રક્રિયા વધુ થવાથી મલ ગાઢ બને છે.

        આનાથી રસ સબળ બને છે.  રસના સબળ બનવાથી રક્તાદિ ધાતુઓ બલવાન બને છે. ધાતુગત પચન ક્રિયા સતેજ બને છે.  આનાથી ધાતુગત વિષ અને મળ બળી જાય  છે.  આ રીતે મેથી આમતાવાદી રોગોમાં લાભ આપે છે. અને શરીરને નિરોગી બનાવે છે.

મેથીના ઉપયોગ :

        મેથીના લોટનો પાક તથા તેના લાડુ બનાવી ખાવાથી શરીર માં બળ આવે છે. વાયુના દર્દો મટે છે. કમરનો દુખાવો કળતર સંધિવા મટે તે લેવાય છે.  સુવાવડ પછી સ્ત્રીઓને તેના લાડુ ખાવા અપાય છે તેથી રજ દોષ દૂર થાય છે.  અને ગર્ભાશય સંકોચન થાય છે.

  • વાત કંટક: જેને કેલ્કેનિઅલ્સપર અથવા ઓસ્ટીઓફાઇડ કહેવામાં આવે છે. આમાં એડીની નીચે હાડકું વાંકું અને કંટક સમાન વધેલું હોય છે. આમાં દરરોજ અર્ધા અર્ધા તોલા મેથીનું ચૂર્ણ દિવસમાં બેથી ત્રણ વખત લેવાથી આ રોગ મટે છે.
  • અર્શ અથવા મસ્સામાં મેથીના બીનો ઉકાળો બનાવી લેવું આને દૂધમાં ઉકાળો બનાવી પીવાથી હરસમાં લોહી પાડવાનું બંધ થાય છે.
  • જીર્ણ આમવાત : આમવાતની તીવ્રવસ્થા દૂર થયા પછી આમ અને લીન વિષ રક્તાદિ ધાતુઓમાં હોય, હૃદય નિર્બળ હોય ત્યારે દરદીને મેથીનું પાક આપવું. મેથી અને સૂઠનું ચૂર્ણ પાંચ પાંચ ગ્રામ દિવસમાં બેવાર ગોળ મેળવી લેવું.
  • જીર્ણ આમાતિસાર મેથીનું ચૂર્ણ 5ગ્રામ સવારે-સાંજે છાશ સાથે લેવું. છાશમાં જીરૂ અને સિંધાલૂણનો ઉપયોગ કરવો. જેમાં આમ વધવાથી પેટમાં તકલીફ થાય છે. અને આમવાતનું દસ્ત આવે છે. તેવા વિકારમાં મેથી હિતાવહ છે.
  • માલવરોધ આંતરડા નબળા હોય તો મેથીનું ચૂર્ણ 5ગ્રામ સવારે સાંજે લેવું. ગોળ અથવા પાણી સાથે થોડા દિવસ લેતા રહેવું. મેથીથી લીવરને બળ મળે છે.
  • સૂતિકા દૌર્બલ્ય: મેથીના લાડુ ખાવાથી અગ્નિમાંદ્ય, હાથ પગની તૂટ, કમરમાં દુખાવો, પેટમાં ભારેપણું વગેરે દૂર થઈ શરીર સ્વસ્થ બને છે. 

મેથીના ઐષધી પ્રયોગો :

હાથ-પગની કળતર :
મેથીને પ્રથમ ઘીમાં શેકી લઈ, તેનો લોટ કરી લેવો પછી તેમાં ઘી-ગોળ ઉમેરીને લાડુ બનાવી લેવાં. આ લાડુ 8-10 દિવસ ખાવાથી હાથ-પગની કળતર, કમરનો દુઃખાવો, સંધિવાતની તકલીફ મટે છે.

બહુમૂત્રતા :
મેથી 3ભાગ, સૂઠ 1 ભાગ અને અજમો-1 ભાગનું ચૂરણ બનાવી મધ કે પાણી સાથે દિવસમાં 2-3 વાર લેવાથી લાભ થાય છે.

ડાયાબિટીસ :
મધુપ્રમેહમાં  રોજ રાત્રે 15-20 ગ્રામ મેથી, 2 ગ્રામ હળદર, 1 કપ પાણીમાં પલાળી રાખી, સવારે તે મસળી, પાણી ગાળી લો. તે પાણી રોજ નરણે કોઠે પી જવું. મેથીનું શાક બનાવી ખાવું. મેથી શેકીને મુખવાસ તરીકે વાપરવી. દર્દની પૂરી પરેજી પાડવી. તેથી પેશાબમાં થતી સાકર બંધ થાય છે.

લૂ લાગવી :
મેથીને પાણીમાં 10-12 કલાક પલાળી રાખી, મેથી મસળી, તેનું પાણી ગાળી, તેમાં સાકર તથા મધ ઉમેરી દરદીને વારંવાર પાવાથી લૂની અસર દૂર થશે.

ધાવણ વધારવા :
મેથીનો લોટ 30 ગ્રામ, 250 ગ્રામ દૂધમાં રાત્રે પલાળી દેવો. બીજે દિવસે તે દૂધ ઉકાળવું અને માવા જેવું બને ત્યારે તેમાં 3 ચમચી શેકી, તેમાં 20 થી 30 ગ્રામ ગોળ નાખી, ગરમ કરી માતાએ દરરોજ ખાવું.
 21 દિવસ ખાવાથી માતાને ખૂબ ધાવણ વધે છે.

પાયોરિયા :
રોજ સવારે મેથી પાણીમાં પલાળીને નરણે કોઠે ચાવીને ખાવી. રાત્રે સૂતી વખતે 2 ગ્રામ મેથી સાકર મેળવીને ખાવાથી લાંબા ગાળે લાભ થશે.






Read More
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg
Newer Posts Older Posts Home

Popular Posts

  • તુલસીનાં પાંદડાંના વિવિધ ફાયદા | Benefit of Indian Tulsi Plant in Gujarati
  • આમળાંનાં વિવિધ ફાયદા | Benefit of Amla in Gujarati
  • અડૂસીના ગુણ અને ફાયદા
  • લસણનાં ગુણ, ફાયદા, અને ઉપયોગ
  • ઘઉંના જવારાના ફાયદા
  • મધના વિવિધ ફાયદા
  • મીઠા લીમડાનાં ગુણ અને ફાયદા | Health Benefit of Curry Patta Plant in Gujarati
  • મેથીના વિવિધ ફાયદા
  • એલોવિરા જેલના ગુણ અને ફાયદા | Benefit of Aloe vera Gel in Gujarati
  • અપચો અને તેનો ઈલાજ

Recent Posts

મીઠા લીમડાનાં ગુણ અને ફાયદા
એલોવિરાના ગુણ અને ફાયદા
અડૂસીના ગુણ અને ફાયદા
મેથીના વિવિધ ફાયદા
ઘઉંના જવારાના ફાયદા
મેથીના વિવિધ ફાયદા
ડુંગળીનાં ગુણ, ફાયદા અને ઉપયોગ
રોગના પ્રાથમિક ઉપચાર

Categories

  • આમળાના ફાયદા
  • કેળાના ફાયદા
  • ઘઉંના જવારાના ફાયદા
  • તુલસીનાં ફાયદા
  • લસણનાં ફાયદા
  • લીંબુનો રસ

Blog Archive

  • August (1)
  • September (1)
  • August (7)
  • July (7)
  • January (1)
  • January (2)

Translate

About Me

My photo
Priti
View my complete profile

Subscribe To

Posts
Atom
Posts
All Comments
Atom
All Comments

Copyright © Ayu Benefit | Powered by Blogger