Ayu Benefit
  • Home
  • Business
    • Internet
    • Market
    • Stock
  • Parent Category
    • Child Category 1
      • Sub Child Category 1
      • Sub Child Category 2
      • Sub Child Category 3
    • Child Category 2
    • Child Category 3
    • Child Category 4
  • Featured
  • Health
    • Childcare
    • Doctors
  • Home
  • Business
    • Internet
    • Market
    • Stock
  • Downloads
    • Dvd
    • Games
    • Software
      • Office
  • Parent Category
    • Child Category 1
      • Sub Child Category 1
      • Sub Child Category 2
      • Sub Child Category 3
    • Child Category 2
    • Child Category 3
    • Child Category 4
  • Featured
  • Health
    • Childcare
    • Doctors
  • Uncategorized

Tuesday, July 31, 2018

વર્ષા ઋતુમાં સ્વસ્થ રહેવા માટે શું કરવું

 Priti     July 31, 2018     વર્ષા ઋતુમાં સ્વસ્થ, વર્ષાઋતુમાં     No comments   





 

        વર્ષાઋતુમાં હવામાં આદ્રતા હોય છે જેથી શરીર પરની ત્વચા ચીકણી બની હોય તેવું લાગે છે. જયારે પવન બંધ થઈ જાય છે. સાધારણ બેદરકારીથી આ મોસમમાં શરીરમાં અનેક પ્રકારના રોગો વધી જાય છે. એટલે વર્ષાઋતુના આરાંભની સાથે જ ખાનપાન અને રહેણીકરણીમાં પરિવર્તન લાવવું જરૂરી બને છે.

        વર્ષાઋતુમાં અગ્નિ મંદ પડે છે,  બળ નષ્ટ પામે છે, શરીરને વાતાદિ દોષો વિકૃત કરે છે.  પરિણામે આ ઋતુમાં વાયુજનીત રોગો જેવાં કે સંધિવા, અંડતોડ, ભોજન બાદ પેટનું ફુલી જવું વગેરે વધે છે. આ ઉપરાંત ત્વચાગત વિકારો, રક્ત વિકાર, ઝાડા થઈ જવા, મલેરિયા, શરદી,  જેવાં રોગો પણ થાય છે.

        આયુર્વેદના કથન મુજબ સૌ પ્રથમ વમન વિરેચન દ્વારા શરીરની શુદ્ધિ કરાવી લેવી જોઈએ. જેથી અનેક રોગોથી બચી શકાય છે. વાયુનું શમન કરે તેવા સાધારણ ગરમ ઘી-તેલવાળા પદાર્થો લાભદાયી છે. ભાજી-પાનવાળા શાકભાજી ન ખાવા જોઈએ. સાંજનું ભોજન સૂર્યાસ્ત પહેલાં લઈ લેવું જોઈએ. જુના અન્ન, મગની દાળ અને મધ લાભદાયી છે.  દહીં આ ઋતુમાં વર્જ્ય છે.

        વર્ષાઋતુમાં નદી, નાળા, તળાવનું પાણી પીવું ન જોઈએ. કુવા કે નળ બોરનું પાણી પણ ઉકાળીને પીવું હિતાવહ છે. વહેલી સવારે અથવા વરસના વરસાદમાં આદું-ફુદિનાવાડી ગરમાગરમ ચા પીવી સ્વાસ્થય માટે ફાયદાકારક છે. વર્ષાઋતુમાં કિચડ પાણીથી હંમેશાં બચવું જોઈએ. આ ઋતુમાં તડકો પણ નુકશાનકારક છે. 

        આ ઋતુમાં શરીર પર તૈલાભ્યંગ કરવું લાભપ્રદ છે. જેથી વાયુના રોગોનું આક્રમણ શરીર પર નહિ થાય. બરફ,  ફ્રીઝનું પાણી, આઈસ્ક્રીમ, કોલ્ડ્રિક્સ, લસ્સી, દિવસની નિંદ્રા, તડકે ફરવું નુકશાનકારક છે.  ભીંજાયેલા વસ્ત્રો શરીર પર વધુ સમય પહેરી રાખવા ન જોઈએ નહીંતર શરદી અને ત્વચાના વિકારો થવાનો સંભવ રહે છે. આ ઋતુમાં યથાસંભવ જીવન વ્યતીત કરવું. 

        ઔષધપચારની દ્રષ્ટિએ પંચકોલ ચૂર્ણ, સુંઠ +ગોળ +ઘીની લાડુલી, ગરમાગરમ મસાલાવાળી ચા-કોફી લાભદાયી છે. અજીર્ણ અને કબજિયાત હોય કે માંદાગ્ની હોય તો દેહશુદ્ધીવટી ખૂબ જ લાભપ્રદ છે. અને શારીરિક બળ જાળવી રાખવા માટે ખાસ કરીને માદીફડ રસાયન એ સર્વોત્તમ ઔષધ છે. હાથ-પગ તૂટતા હોય અને ઉદરશુલ થતું હોય તો વિષતિડુકવતી ભોજન પછી 2-2 ગોળી પાણી સાથે લેવી જોઈએ. 



Read More
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

Monday, July 23, 2018

ઘઉંના જવારાના ફાયદા

 Priti     July 23, 2018     ઘઉંના જવારા, ઘઉંના જવારાના ફાયદા, ઘઉંના જવારાનો ઉપયોગ     No comments   


ઘઉંના જવારાના ફાયદા :
        ઘઉંના જવારાનો રસ એ પ્રકૃતિના ઉદરમાં છુપાયેલા ઔષધિના અખૂટ ભંડારમાંથી માનવને મળેલી એક અનૂપમ ભેટ છે.





      ઘઉંના જવારાના રસમાં રોગોનો પ્રતિકાર કરીને તેમને નાબૂદ કરવાની એક અજબ શક્તિ છે.  શરીર માટે એ એક શક્તિશાળી ટોનિક છે. એમાં કુદરતી સ્વરૂપમાં કાર્બોહાઇડ્રેડ,  ઘણાંખરાં બધાં જ વિટામિનો અને ક્ષારો તથા ઉચ્ચ પ્રોટીન રહેલાં છે. એના સેવનથી અસંખ્ય લોકોએ વિવિધ પ્રકારના રોગોમાંથી મુક્તિ મેળવી છે. 
જેમ કે, 
મૂત્રાશયની પથરી, હૃદય રોગ, ડાયાબિટીસ, દમ, કમળો, લકવો, પાયોરિયા અને દાંતના બીજા રોગો,પેટનો દુખાવો, પંચંતત્રની નબળાઈ-અપચો, ગેસ,વિટામિન એ, બી વગેરેની ખામી,શારીરિક અને માનસિક નબળાઈ,આંખોની નબળાઈ, વાળ ધોળા થઈને ખરી પડવા, લાગેલા જખમ તથા દાઝેલી ચામડી 


      હજારો માંદા તેમજ નિરોગી લોકોએ પોતાના રોજિંદા ખોરાકમાં ફેરફાર કર્યા સિવાય ઘઉંના જવારાના રસથી ઘણાં ટૂંકા સમયમાં ચમત્કારિક લાભ મેળવ્યા છે. સ્વાનુભવથી તેઓ કહે છે કે જવારાના રસથી આંખ, દાંત અને વાળને ઘણો ફાયદો થાય છે. બંધકોષ મટી જાય છે. ઘણું વધારે કામ કરી શકાય છે. છતાં થાક લાગતો નથી.

ઘઉંના જવારા ઉગાડવાની રીત :

      માટીના નવ કુંડા અથવા છાબડી લો. તેમાં ખાતર ભેળવેલી માટી નાખો. રાસાયણિક ખાતરનો ઉપયોગ ન કરવો. પહેલાં દિવસે એક કુંડામાં બધી માટી ઢંકાઈ જાય એટલા ઘઉં વાવવા, પાણી રેડવું અને કુંડાને છાયામાં મૂકવું. સૂર્યનો તાપ કુંડાને વધારે ન લાગે તેની કાળજી રાખવી.

     આજ પ્રમાણે બીજા દિવસે બીજું કુંડુ વાવવું, એમ નાવમાં દિવસે નવમું કુંડુ વાવવું. બધાં કુંડાને દરરોજ પાણી પાવું નવમાં દિવસે પહેલાં કુંડામાં ઉગેલા ઘઉં કાપીને વાપરવા. ખાલી પડેલાં  કુંડામાં ફરીથી ઘઉં વાવી દેવાં. બીજા દિવસે બીજું કુંડુ, ત્રીજા દિવસે ત્રીજું કૂંડું એમ ચક્ર ચાલ્યા કરે
 આ પ્રક્રિયામાં ક્યાંય પ્લાસ્ટિકના વાસણનો ઉપયોગ ન કરવો. બપોરના સૂર્યનો સખત તાપ ન લાગે, સવાર કે સાંજના સૂર્યનો મંદ તાપ લાગે એવી જગ્યાએ કુંડાઓને રાખવાં.

      સામાન્ય રીતે આઠ દશ દિવસમાં ઘઉંના જવારા પાંચથી સાત ઇંચના થશે. આવડા જવારામાં વધારેમાં વધારે ગુણ હોય છે. જવારા સાત ઈંચથી જેમ જેમ મોટા થતાં જાય તેમ તેમ તેનો ગુણ ઓછો થતો જાય છે. માટે પૂરેપૂરો લાભ લેવા જવારા સાત ઈંચથી  મોટા થાય તે પહેલાં વાપરવા જોઈએ.

      જવારા માટીની સપાટી પરથી કતાર વડે કાપી શકાય અથવા મૂળ સહિત ખેંચી લઈને પણ વાપરી શકાય. ખાલી પડેલાં કુંડામાં ફરીથી ઘઉં વાવી દેવા. આ રીતે દરરોજ ઘઉં વાવવાનું ચાલું રાખવાથી એક વખત શરૂ કર્યા પછી હંમેશા જવારા મળ્યા કરશે.

ઘઉંના જવારા બનાવવાની રીત :
         જયારે સમયની અનુકૂળતા હોય ત્યારે જ જવારા કાપવા. કાપ્યા પછી તરત જ ખાંડવા. ખાંડેલા જવારાને કપડાથી ગાળીને રસ નીચોવી લેવો. આ પ્રમાણે એ જ જવારાને ત્રણેક વખત ખાંડીને નિચોવવાથી ઘણોખરો રસ નીકળી આવશે. ચટણી બનાવવાના કે તેવા બીજા મશીનથી પણ રસ કાઢી શકાય. રસ કાઢ્યા પછી વિલંબ કર્યાં વિના તરત જ પરંતુ ધીમે ધીમે પીવો. અનિવાર્ય કારણ સિવાય એક ક્ષણ પણ રસ પડી રહેવા દેવો નહિ. કારણ કે ક્ષણે ક્ષણે રસની ગુણવતા ઓછી થતી જાય છે. નરના કોઠે આ રસ પીવાથી વધારે ફાયદો થાય છે.
        દિવસમાં ગમે ત્યારે જવારાનો રસ લઈ શકાય છે. પરંતુ રસ પીધા પહેલાં અને પીધા પછી અડધો કલાક સુધી કઈ ખાવું પીવું ન જોઈએ. શરૂઆતમાં કેટલાકને રસ પીધા પછી ઉબકા આવે છે, ઉલટી થાય છે. શરદી થાય છે. પરંતુ આથી ગભરાવું નહિ. શરીરના કેટલાક ઝેર એકઠાં થયાં હોવાની આ નિશાની છે. શરદી, ઝાડા, ઊલટી થવાથી શરીરમાં એકઠાં થયેલાં ઝેર નીકળી જશે.
        જવારાના રસ કાઢતી વખતે તેમાં મધ, આદું, નાગરવેલનાં પાન(ખાવાનાં pan) ઉમેરી શકાય. આથી સ્વાદ અને ગુણમાં વધારો થાય છે. ઉબકા આવતા નથી. ખાસ ધ્યાનમાં રાખો કે જવારાના રસમાં લીંબુનો રસ કે મીઠું કદાપિ ઉમેરવું નહિ.

        રસ કાઢવાની અનુકૂળતા ન હોય તો જવારા ચાવીને ખાઈ શકાય. આથી દાંત અને પેઢાં મજબૂત થશે. દિવસમાં ત્રણ ચાર વખત થોડા થોડા જવારા ચાવવાથી મુખમાંથી ખરાબ વાસ આવતી હોય તો અટકી જશે. ઈચ્છા હોય તો દરરોજ બે કે ત્રણ વખત જવારાનો રસ લેવો.






Read More
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

Saturday, July 21, 2018

ડબ્બાપેક ફળોના રસ નુકસાનકારક

 Priti     July 21, 2018     ડબ્બાપેક ફળોના રસ, ડબ્બાપેક ફળોના રસની નુકસાનકારકતા     No comments   


ડબ્બાપેક ફળોના રસની નુકસાનકારકતા
ડબ્બાપેક ફળોના રસ ક્યારે પણ વાપરવા નહિ. તેમાં બેન્જોઈક એસિડ હોય છે. આ એસિડ જો જરા પણ કુમળી ચામડીને સ્પર્શે તો ફોલ્લા થઈ જાય.


ડબ્બાપેક ફળોના રસની નુકસાનકારકતા


        વળી તેમાં વપરાતું સોડિયમ બેન્ઝોઈક નામનું રસાયણ જો કૂતરું પણ બે ગ્રામ જેટલું ખાય તો તત્કાળ મરણ પામે. ફળોનો રસ, કન્ફેકસરી  જામ, જેલી, અથાણાં વગેરેમાં ઉપરનાં રસાયણો વાપરવામાં આવે છે.


        'ફ્રેશફ્રુટ' ના લેબલ નીચે મળતી કોઈ પણ બોટલ કે ડબ્બામાં તાજાં ફળો કે તેનો રસ ક્યારેય હોતાં નથી. બજારમાં 'ઓરેન્જ' નામે વેચાતો રસ કદાપિ સંતરાં-નારંગીનો રસ હોતો નથી. તેમાં ખાંડ, સેકરીન અને કૃત્રિમ રંગો જ વપરાય છે. જે દાંત અને આંતરડાને નુકસાન કરીને આખરે કેન્સરને જન્મ આપે છે.


        સૌ પ્રથમ તો ફળને ફનફણતા ગરમ પાણીથી ધોવાય છે. પછી તેને રાંધવામાં આવે છે. ઉપરની છાલ કાઠી લેવાય છે. તેમાં ચાસણી નંખાય છે. અને રસ તાજો રહે તે માટે તેમાં વિવિધ રસાયણો નંખાય છે. તેમાં કેલ્શિયમ નાઇટ્રેટ, એલમ અને મેગ્નેશિયમ ક્લોરાઈડ ઉમેરાય છે. જેને કારણે આંતરડામાં ચાંદા પડે છે. કીડનીને હાનિ થાય છે. પેઢા સૂજી જાય છે. જે લોકો પુલાવ માટે બજારમાંથી વટાણા વાપરે છે. તેને લીલા અને તાજા રાખવા માટે તેમાં મેગ્નેશિયમ ક્લોરાઈડ નામનું ઝેરી રસાયણ વપરાય છે. એરીથ્રોસીન નામનું રસાયણ કોકટેલમાં વપરાય છે. ટામેટાના રસમાં નાઇટ્રેટસ  ઉમેરાય છે. શાકભાજી કે ફળોને ડબ્બાપેક કરતી વખતે શાકભાજી કે ફળોમાં જે મીઠું વપરાય છે તે સાધારણ મીઠા કરતાં 45 ગણું નુકસાનકારક હોય છે.


        આથી પોતાનાં તેમજ બાળકોનાં સ્વાસ્થ્ય માટે અને મહેમાનોને ફેશન માટે પણ આવા ડબ્બાપેક ફળો કે શાકભાજી આપીને સ્વાસ્થ્યને કાયમી જોખમાવશો નહિ.

Read More
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

Friday, July 20, 2018

કયો રસ ક્યારે વાપરવો

 Priti     July 20, 2018     ફળના રસના ફાયદા, માથાનાં દુખાવામાં ફળના રસનો ઉપયોગ, શાકભાજીના રસનો ઉપયોગ     No comments   

ફળના રસના  ફાયદા :






ભૂખ લગાડવા માટે :

બે ભાગ ટામેટાનો રસ, એક ભાગ અનેનાસનો રસ જમ્યા પહેલાં ફક્ત 100-125 ગ્રામ લેવો. સવારે નરણે કોઠે લીંબુનું પાણી પીવું. જમ્યા પહેલાં આદુનું કચુંબર સિંધવ સાથે લેવું.


રક્તશુદ્ધિ :
લીંબુ, ગાજર, કોબી, બીટ, ટામેટાં, પાલખ અને સફરજનનો રસ લેવો.

દમ :
બીટ, કોબી, ગાજર, મીઠી દ્રાસનો રસ, ભાજીના સૂપ અથવા મગનો સૂપ બકરીનું દૂધ સારું. ઘી, તેલ, માખણ વર્જિત છે.

લોહીનું ઉંચું દબાણ :
ગાજર, દ્રાક્ષ, સંતરાં, મોસંબી અને ઘઉંના જવારાનો રસ. માનસિક તેમજ શારીરિક આરામ જરૂરી છે.

કમળો:
દ્રાસ, સફરજન, રાસબરી, મોસંબી, સંતરાં, દ્રાક્ષની ગેરહાજરીમાં કાળી દ્રાક્ષ તેમજ કિસમિસનું પાણી.

ખીલના ડાઘા :
ગાજર, તડબૂચ, કાંદા, તુલસી અને પાલખનો રસ.

સંધિવા :
ગાજર, પાલખ, કાકડી, કોબી, કોથમીરનો રસ તથા નારિયેળ તેમજ સફરજન અને ઘઉંના જવારા.

એસીડીટી :

ગાજર, પાલખ, કાકડી, તુલસીનો રસ. ફળોનો રસ વધારે લેવો. દ્રાસ, મોસંબી, સંતરાંનો રસ તેમજ દૂધ પણ લાભદાયક છે.

કેન્સર : 
ઘઉં જવારા, ગાજર અને દ્રાક્ષનો રસ.

ગોરા થવા માટે :

સવારે બપોરે ટામેટાનો રસ લેવો. નાળિયેળના પાણીથી ચહેરો સાફ કરવો.

ખસ-ગુમડાં :

ગાજર, પાલખ, કાકડી અને થોડો લસણનો રસ. કોબી અને કોપરાનો રસ.

કોલાઈટિસ :

ગાજર, પાલખ અને પાઇનેપલનો રસ. 70 ટકા ગાજરના રસ સાથે બાકીનો રસ સપ્રમાણ. બીટ, કોપરું, કાકડી, કોબીના રસની કોકટેલ પણ ઉપયોગી છે.

અલ્સર :
દ્રાક્ષ, ગાજર, કોબીનો રસ. સાથે થોડું દૂધ લેવું.

શરદી-કફ :

મૂળા, લસણ, ગાજરનો રસ, મગ અથવા ભાજીના સૂપ.

બ્રોંકાઈટીસ :

પપૈયું, ગાજર, સંતરાં, મોસંબી, પાઈનેપલનો રસ, મગનો સૂપ, મીઠા ફળોનો રસ, સ્ટાર્ચવાળો ખોરાક વર્જિત.

દાંત આવતા બાળક માટે :
પાઇનેપલનો રસ થોડું લીંબુ ઉમેરી રોજ 100-125 ગ્રામ આપવું.

લોહીની વૃદ્ધિ માટે :

મોસંબી, દ્રાક્ષ, સંતરાં, પાલખ, ટામેટાં, બીટ, સફરજન, રાસબરીનો રસ રાત્રે. પલાળેલ ખજૂરનું પાણી સવારે. કેળાં પણ ઉપયોગી છે.

સ્ત્રીઓના માસિક ધર્મની તકલીફ :

દ્રાક્ષ, પાઈનેપલ તેમજ રાસબરીનો રસ.

આંખોના તેજ માટે :
ગાજરનો રસ તેમજ કોથમીરનો રસ શ્રેષ્ઠ છે.

અનિદ્રા :

દ્રાક્ષ અને સફરજનનો રસ.

વજન વધારવા માટે :

પાલખ, ગાજર, બીટ, કોપરું, કોબીના રસની કોકટેલ, દૂધ, દહીં, સૂકો મેવો, દ્રાક્ષ અને સફરજનનો રસ.

વજન ઘટાડવા :

પાઈનેપલ, કોબી, તડબૂચનો રસ, લીબુંનો રસ.

ડાયાબિટીસ :
કોબી, ગાજર, કોપરું અને પાલખનો રસ.

પથરી :

પાંદડાવાળી ભાજીઓ લેવી નહિ. કાકડીનો રસ શ્રેષ્ઠ છે. સફરજન અથવા ગાજરનો રસ તેમજ કોળાનો રસ પણ મદદરૂપ થાય. ભોજન પછી કાળીબૂટી પાણીમાં 1-1 ગ્રામ લો.

માથાનો દુખાવો :

કાકડી, બીટ, કોબી,  ગાજર, અને કોપરાની કોકટેલ.

કિડનીના દર્દો :

ગાજર, પાલખ, કાકડી, અને કોપરાંનો રસ.
ફલ્યુ :
મોસંબી અથવા ગાજરનો રસ.

પાયોરિયા :

ઘઉંના જવારા, ગાજર, કોપરું પાલખ, કાકડી અને સુવાની ભાજીનો રસ. કાચું ઘણું ખાવું.

હરસ :

મૂળાનો રસ શ્રેષ્ઠ.

   



Read More
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

કેળાંના વિવિધ ફાયદા

 Priti     July 20, 2018     કેળાં, કેળાના ફાયદા, કેળાનો ઉપયોગ, કેળાંનો વિવિધ રોગમાં ઉપયોગ     No comments   


કેળા :
      સામાન્ય રીતે લોકોમાં એવી માન્યતા છે કે કેળાં જલદી પચતાં નથી અને કબજિયાત કરે છે. પૂરા પાકેલાં ન હોય એવાં કેળાં નીચે પડી જાય, જેની છાલ પર કાળી ટપકી આવી જાય એવાં કેળાં બરાબર પાકેલાં કહેવાય. આવા કેળાં સુપાચ્ય છે.





      ખાદ્ય ફળોમાં કેળાં શ્રેષ્ઠ છે. નિયમિત રીતે કેળાનો ઉપયોગ કરવાથી શરીરમાં માંસ અને લોહીની વૃદ્ધિ થાય છે. શરીર સશક્ત બને છે. એશિયામાં જિમ્નેસ્ટિકમાં વ્યક્તિગત સુવર્ણચંદ્રકના વિજેતા ચીની ખેલાડી લીનિંગનું કહેવું છે કે તેની સફળતાનું રહસ્ય કેળાં છે. વજન વધારવા માટે કેળાં વરદાનરૂપ છે. 

રોગોમાં કેળાનો ઉપયોગ :

      કેળામાં રહેલી સાકાર આંતરડામાં ઉત્પન્ન થતાં અનેક હાનિકારક જીવાણુઓની વૃદ્ધિને અટકાવે છે,  આંતરડાના સડાને રોકે છે. આંતરડાંના રોગોમાં કેળાં ઉત્તમ પ્રાકૃતિક ઔષધી છે. અને અમ્લતા જન્ય રોગોને દૂર છે. 


મધુપ્રમેહ-ડાયાબિટીસ :

      કાચાં કેળાં તડકામાં સૂકવીને તેનો લોટ બનાવો. 10 ગ્રામ લોટ દૂધ સાથે લેવાથી લાભ થાય છે. 
      જે કેળાં પાકીને ગળી જવા માંડ્યા હોય, જેની છાલ કાળી પડવા લાગી હોય છોલીને તેના ગર્ભને હાથથી બરાબર મસળી નાખવો. પછી તેમાં તેનાથી અડધા પ્રમાણમાં ચોખાની ભૂસી મેળવીને 2-3 દિવસ ગરમ જગ્યામાં રાખી મૂકો. ચોથા દિવસે એક વાસણમાં એ બધું રાખીને વાસણને જરા વાંકુ કરીને મૂકો.  થોડીવારમાં કેળાંનો રસ અલગ તરી આવશે. આ રસ 50-50 ગ્રામ સવાર સાંજ પીવાથી ડાયાબિટીસના રોગમાં લાભ થાય છે. નવ બિલીપત્ર ચાર કાળા મરી વાટીને એક ગ્લાસ પાણીમાં મેળવીને ગાળી લો.  સવારે નરના કોઠે પીને થોડા હરો ફરો.  અઠવાડિયામાં એક દિવસ રજા પાડો.  આથી પણ ડાયાબિટીસમાં રાહત થાય છે.

               બાળકો માટી ખાતાં હોય તો ખૂબ પાકેલાં કેળાં મધ સાથે ખવડાવવાથી બાળકોની માટી ખાવાની આદત છૂટી જાય છે.

સ્વપનદોષ :
બરાબર પાકેલાં બે કેળાં લઈને છોલીને બરાબર મસળી નાખવાં. તેમાં લીલાં આમળાંનો રસ 10 ગ્રામ અને શુદ્ધ મધ 10 ગ્રામ મેળવીને દરરોજ સવાર સાંજ ચાટી જવા. થોડાક જ દિવસના સેવનથી સ્વપ્નદોષથી છુટકારો થઈ જશે.



Read More
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

Thursday, July 19, 2018

મધના વિવિધ ફાયદા

 Priti     July 19, 2018     મધ, મધના ફાયદા, મધનો ઉપયોગ, મધનો દવામાં ઉપયોગ     No comments   

     

મધના ફાયદા :
        મધ એ મનુષ્યને કુદરતની ઉત્તમ ભેટ છે. એ પંચામૃતમાંનું એક અમૃત છે. મધ આયુર્વેદની મોટા ભાગની દવાઓ માટે શ્રેષ્ટ અનુપાન છે. 



        મધમાં કુદરતી રીતે જ શર્કરા વિપુલ પ્રમાણમાં હોય છે. તે તરત જ શક્તિ અને ગરમી આપીને માંસપેશીઓને બળ પૂરુ પાડે છે. રાત્રે એક ચમચી મધ પાણી સાથે લેવાથી ઉંઘ બરાબર આવી જાય છે.  પેટ સાફ આવે છે.  નરણે કોઠે મધ-લીંબુનું શરબત ભૂખ લગાડે છે.  

      મધ જીવાણુઓનો નાશ કરે છે. ટાઈફોઈડ અને ક્ષયના દર્દીઓ માટે ઉત્તમ છે. હજારો વર્ષો સુધી મધ બગડતું નથી. મધ બાળકોના વિકાસમાં ઘણું ઉપયોગી છે. જે બાળકને શરૂઆતના નવ માસ મધ આપવામાં આવે તેને છાતીના રોગ ક્યારે પણ થશે નહિ. મધથી આંતરડાને ઉપયોગી એવાં એસીકોકલિસ જીવાણુઓની વૃદ્ધિ થાય છે. મધ દુર્બળ અને સગર્ભા સ્ત્રીઓ માટે શ્રેષ્ઠ પોષક આહાર છે. મધ દીર્ધાયુ બક્ષે  છે.
      દુર્બળતા દૂર કરીને શક્તિ વધારવા માટે મધ જેવી ગુણકારી વસ્તુ વિશ્વમાં બીજી કોઈ નથી. શરીરની માંસપેશીઓને શક્તિ આપે છે.મધ શ્રેષ્ઠ અનુપાન છે.મધથી મંદાગ્નિ મટીને ભૂખ લાગે છે. વીર્યની વૃદ્ધિ કરે છે. આબાલવૃદ્ધ બધાંને માટે મધ ગુણકારી છે. બાળકને જન્મ સાથે જ આપી શકાય તેવું એક માત્ર ભોજન મધ છે.
      
      મધમાંના ખનીજ તત્વો રક્તના લાલ કણોની વૃદ્ધિમાં સહાયક બને છે. ગર્ભવતી અને પ્રસૂતા માતાએ પણ બાળકના હિતાર્થે મધનું સેવન કરવું જોઈએ. રોગી અને કમજોરને મધ શક્તિ આપે છે, શારીરિક પરિશ્રમ કરનારાઓને તે શક્તિ આપે છે, શારીરિક પરિશ્રમ કરનારાઓને તે શક્તિ આપે છે, કારણ કે તેને પચાવવામાં શક્તિ વાપરવી પડતી નથી અને શક્તિનો ભંડાર મળે છે. મધના આ ગુણોનું કારણ તે પાંચમહાભૂતોનો સાર છે, અંતિમ રસ છે. મધ ઉત્તમ સ્વાસ્થ્યવર્ધક છે અને સાથે સાથે શરીરના રંગને નીખારવાનું, ચામડીને કોમળ બનાવવાનું અને સૌંદર્ય વધારવાનું કાર્ય પણ કરે છે. ચહેરા અને શરીર પર જો મધ ઘસવામાં આવે તો સૌંદર્ય અક્ષય બને છે. સારા સાબુઓમાં મધનો ઉપયોગ થાય છે.

       મધ,લીંબુ,વેસન અને પાણીનું મિશ્રણ ચહેરા પર ઘસીને પછી સ્નાન કરવાથી ચહેરો આકર્ષક અને સુંદર બને છે. મધના સેવનથી કંઠ મધુર, સુરીલો અને વાણી મીઠી બને છે, દૈવી ગુણોની વૃદ્ધિ થાય છે. મનુષ્ય વિવેકપૂર્ણ અને ચારિત્ર્યવાન બને છે.

      મધ શરીર-મન-હૃદયનું દૈર્બલ્ય, દમ, અપચો, કબજિયાત, કફ, ખાંસી, વીર્યદોષ, અનિદ્રા, થકાવટ, વાયુવિકાર તથા અન્ય અસંખ્ય રોગોમાં અચૂક દવા છે.

      મધ દરેક ખાદ્ય પદાર્થ સાથે લઈ શકાય છે. ધારોષ્ણ દૂધ અને ફળોના રસમાં મધ લઈ શકાય છે. મધ ઠંડા પાણીમાં લેવું હંમેશા હિતાવહ છે. મધને ગરમ કરવું જોઈએ નહિ. માછલી, 
દૂધ, મધ  સાથે ખાવાથી સફેદ કોઢ થાય છે. કમળબીજ, મૂળા, માંસ સાથે મધ લઈ શકાય નહિ. ઘી, તેલ જેવા ચરબીયુક્ત પદાર્થ સાથે મધ સમાન માત્રામાં લેવું વિષ સમાન છે.

       દુકાનોમાં વેચાતું, લેબોરેટરીઓમાં પાસ કરાયેલું, બાટલામાં પેક કરેલું કૃતિમ મધ એટલો ફાયદો નથી કરતુ જેટલો ફાયદો અસલી મધથી થાય છે.







Read More
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

લીંબુના રસના ફાયદા | Benefit of Lamon

 Priti     July 19, 2018     લીંબુ, લીંબુના રસના ફાયદા, લીંબુના રસનો પયોગ, લીંબુનો રસ     No comments   


     
       શરીરમાં જે અમ્લતાનું ઝેર ઉત્પન્ન થાય છે. તેનું મારણ લીંબુ કરે છે. લીંબુમાંનું પોટેશિયમ અમ્લવિષોને નષ્ટ કરવાનું કાર્ય કરે છે.  તેમાં પ્રચુર માત્રામાં રહેલ વિટામિન 'સી' શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તે સ્કર્વીના રોગમાં ઉપયોગી છે. લીંબુ હૃદયને સ્વસ્થ રાખે છે. હૃદયના રોગોમાં લીંબુ દ્રાક્ષ કરતાં પણ વધારે ફાયદો કરે છે. 


      લીંબુ પ્રતિઅમલક છે. બીજા ફળોની સરખાણીમાં ક્ષારિયતાનું પ્રમાણ વધારે છે. લીંબુનો રસ જંતુધ્ન છે. ખોટા આહાર-વિહારને કારણે શરીરમાં યુરિક એસિડ બને છે. તેનો નાશ કરવા માટે સવારે નરણે કોઠે ગરમ પાણીમાં લીંબુનો રસ લેવો જોઈએ. સાથે આદુનો રસ પણ લેવો ઉપયોગી છે. લીંબુ પેશાબ વાટે યુરિક એસિડનો નિકાલ કરે છે. સાથે સાથે કબજિયાત, પેશાબની બળતરા, લોહીનો બગાડ, મંદાગ્નિ, રક્તવિકાર અને ચામડીના રોગોમાં તે અકસીર છે. લીબુંના રસથી દાંત અને પેઠાની સારી સફાઈ થાય છે. પાયોરિયા અને મોઢાની દુર્ગધને તે દૂર કરે છે. યકૃતની શુદ્ધિ માટે લીંબુ અકસીર છે. લીંબુનું સાઈટ્રિક એસિડ પણ યુરિક એસિડનો નાશ કરે છે. અજીર્ણ, છાતીની બળતરા, સંગ્રહની, કોલેરા, કફ, શરદી, શ્વાશ વગેરેમાં ઔષધિનું કામ કરે છે. લીંબુના રસમાં ટાઇફોડનાં જંતુઓનો તરત નાશ થાય છે. 
      
      નરણે કોઠે લીંબુનો રસ કૃમિ કે જે બિનઉપયોગી ઝેરી એસિડ પેદા કરે છે તેનો નાશ કરે છે. લીંબુના સેવનથી પિત્ત શાંત થાય છે. મોંમાંથી લાડ પડતી બંધ થાય છે. લોહીની શુદ્ધિ થતાં શરીરમાં ખૂબ તાજગી દેખાય છે. લોહીમાંથી ઝેરી તત્વ નાશ પામતા શરીરમાં ખૂબ તાજગી દેખાય છે. લોહીમાંથી માંશપેશીઓને નવું બળ મળે છે. લીંબુ સમગ્ર શરીરની સફાઈ કરે છે. આંખોનું તેજ વધારે છે. જે કુટુંબમાં લોકો રોજ એક લીંબુનો ઉપયોગ કરે છે ત્યાં ત્યાં દરેક સ્વચ્છ, સુખી, અને પ્રશન્ન રહે છે.
    
      ગરમ પાણીમાં લીંબુનો રસ અને મધ મેળવીને લેવાથી શરદી, કફ, ઈન્ફ્લૂએંજા વગેરેમાં પૂરી રાહત મળે છે.  લીંબુ અને મધનું પાણી લઈ લાંબા સમય સુધી ઉપવાસ દ્વારા ચિકિત્સા થઈ શકે છે.
      
      કફ, ઉદરસ, દમ, શરીરના દુખાવાના કાયમી દર્દીઓને લીંબુ લેવું નહિ. લોહીનું નીચું દબાણ, માથું દુખવું, પગમાં કળતર, તાવ વગેરેમાં લીંબુ નુકસાનકારક છે. 





Read More
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg
Newer Posts Older Posts Home

Popular Posts

  • તુલસીનાં પાંદડાંના વિવિધ ફાયદા | Benefit of Indian Tulsi Plant in Gujarati
  • આમળાંનાં વિવિધ ફાયદા | Benefit of Amla in Gujarati
  • અડૂસીના ગુણ અને ફાયદા
  • લસણનાં ગુણ, ફાયદા, અને ઉપયોગ
  • ઘઉંના જવારાના ફાયદા
  • મધના વિવિધ ફાયદા
  • મીઠા લીમડાનાં ગુણ અને ફાયદા | Health Benefit of Curry Patta Plant in Gujarati
  • મેથીના વિવિધ ફાયદા
  • એલોવિરા જેલના ગુણ અને ફાયદા | Benefit of Aloe vera Gel in Gujarati
  • અપચો અને તેનો ઈલાજ

Recent Posts

મીઠા લીમડાનાં ગુણ અને ફાયદા
એલોવિરાના ગુણ અને ફાયદા
અડૂસીના ગુણ અને ફાયદા
મેથીના વિવિધ ફાયદા
ઘઉંના જવારાના ફાયદા
મેથીના વિવિધ ફાયદા
ડુંગળીનાં ગુણ, ફાયદા અને ઉપયોગ
રોગના પ્રાથમિક ઉપચાર

Categories

  • આમળાના ફાયદા
  • કેળાના ફાયદા
  • ઘઉંના જવારાના ફાયદા
  • તુલસીનાં ફાયદા
  • લસણનાં ફાયદા
  • લીંબુનો રસ

Blog Archive

  • August (1)
  • September (1)
  • August (7)
  • July (7)
  • January (1)
  • January (2)

Translate

About Me

My photo
Priti
View my complete profile

Subscribe To

Posts
Atom
Posts
All Comments
Atom
All Comments

Copyright © Ayu Benefit | Powered by Blogger